SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ મેન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા [૧૯૫ અને જે પદ્ધતિ વધારે અનુગુણ હોય તેનું વાતાવરણ તૈયાર કરવામાં પિતાથી બનતો ફાળો આપે. ત્રણ વાંધા આ છે: (૧) બહુ ખર્ચાળપણું, (૨) સ્વરછન્દ (નિયમનને અભાવ), અને (૩) હરીફાઈની ગેરહાજરી. પહેલા વાંધાના સંબંધમાં વિચાર કરીએ તે પહેલાં બાકીના બે વાંધાઓ વિશે પહેલાં વિચાર કરી લેવું યોગ્ય થશે. ધણક માને છે અને કહે છે કે મેન્ટીરી શિક્ષણ પદ્ધતિમાં નિયમન નથી, અને તેમાં બાળકે સ્વચ્છન્દી બને છે. અને તેઓના કથનમાં કાંઈ વજૂદ ન જણાયું. ત્રણથી છ વર્ષનાં બાળકે જે એકાગ્રતાથી, જે અદબથી અને જે અનુકૂળ વાતાવરણથી આકર્ષાઈને બાલમન્દિરમાં શીખતાં અને પ્રયોગ કરતાં જોવામાં આવ્યાં, તે ઉપરથી એમ જણાય છે કે પ્રસ્તુત પદ્ધતિમાં સ્વચ્છન્દ નહિ પણ સાહજિક વિકાસની કેળવણી મળે છે. અલબત્ત, જે શિક્ષકની સોટી, કરડી આંખ અગર આડુંઅવળું તરતી તેની વાણીને નિયમન માનવામાં આવતું હોય છે તેવું નિયમન મેન્ટીસૈરી શિક્ષણ પદ્ધતિમાં બિલકુલ નથી જ. પણ આવા નિયમનને અત્યંત અભાવ એ તે આ શિક્ષણ પદ્ધતિને અન્તરાત્મા હોઈ તેનું ભૂષણ છે, દૂષણ નહિ. જે નાનાં નાનાં બાળકે માબાપનાં અનેક દબાણ, લાલચે અને કૃત્રિમ ભયો છતાં પિતાની ચંચળ વૃત્તિને સ્વાભાવિક રીતે એક વિષયમાં નથી જી શકતાં, તથા જે બાળકોને કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય વિષયક વિકાસ સાધવા શિક્ષકોની યમ–દષ્ટિ નિષ્ફળ નીવડે છે, તે બાળકે લાલચ, ભય અને સખ્તાઈ વિના આપોઆપ અશ્રાન્તપણે આનન્દી ચહેરે પોતાની ચંચળ વૃત્તિને પિતાની પસંદગીના વિષયમાં લાંબા વખત સુધી રેકે અને બહારની પ્રેરણા સિવાય જ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયને વિકાસ સાધે—એ સ્થિતિને જે સ્વચ્છન્દ માનીએ તે સાચી સ્વતંત્રતા, નિર્ભયતા અને સાહજિકતાને શબ્દકોષ સિવાય ક્યાંય સ્થાન નથી એમ માનવું જોઈએ. મોન્ટીસેરી પદ્ધતિમાં હરીફાઈનું ધોરણ નથી અને તેને લીધે હરીફાઈથી થતી જ્ઞાનવૃદ્ધિ એ પદ્ધતિમાં ન થઈ શકે એ આરોપ મૂકવામાં આવે છે. આ આરેપ મૂકનાર માત્ર એમ જ સમજતા હોવા જોઈએ કે શિક્ષણના પ્રદેશમાં હરીફાઈ એ એકાન્ત લાભદાયક તત્ત્વ છે, પણ ખરી રીતે એમ નથી. કોઈ વાર હરીફાઈથી હરીફોને લાભ થાય છે ખરે, પણ ઘણીવાર હરીફાઈમાં પાછે પડનાર હરીફ આભાવમાનનાને લીધે હતોત્સાહ થઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy