________________
મેન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા
અને તે સંબંધી મારા વિચારે
[૨૯] શિક્ષણની અનેક નવી નવી પદ્ધતિઓ પ્રચારમાં આવતી જાય છે. મેન્ટરી પદ્ધતિ તેમાંની એક છે. હમણાં હમણાં તે આપણું દેશમાં પણ દાખલ થતી જાય છે. તેમાં ભાવનગરનું બાલમંદિર સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે.
આ મંદિરને કાર્યક્રમ જાણી, તેમાં થતા પ્રયોગોનો પરિચય કરી, તેમ જ ત્યાંના શિક્ષકે સાથે ચર્ચા કરી એ પદ્ધતિના સંબંધમાં કાંઈક સવિશેષ જાણવાની મારી વૃત્તિ તો પ્રથમથી હતી. તેવી તક મળી. આ તકનો લાભ લઉં તે પહેલાં ઊંચી કેળવણી પામેલા અને સરકારી ઊંચે હોદો ધરાવનાર એક મારા સ્નેહી, જે આ મંદિર અને તેની પદ્ધતિને પરિચય કરી આવ્યા હતા, તેઓને મોન્ટીસોરી પદ્ધતિ વિશે શે અભિપ્રાય છે એ મેં જાણી લીધું. એ ભાઈએ આ પદ્ધતિ વિશે મુખ્યપણે ત્રણ વાંધા મને જણવ્યા. એ વાંધા પહેલેથી જ જાણવામાં આવ્યા એટલે તે બાલમન્દિર અને ત્યાંની પદ્ધતિનું જેમ બને તેમ ચક્કસ જ્ઞાન મેળવવાની અને પછી તે વાંધામાં કેટલું તથ્ય છે એ વિચારવાની વૃત્તિ ઉદ્ભવી.
- આ વૃત્તિને અનુસરી બાલમંદિરના કાર્યક્રમનું સવિશેષ અવલોકન અને તે ઉપર વિચાર કરવામાં ત્રણ દિવસ વ્યતીત થયા. પરિણામે મારો વિચાર એ ભાઈને વિચારથી જુદે જ બંધાયે. ત્રણ દિવસના અવકન અને તે દરમિયાન થયેલી ચર્ચાને અત્રે આપી આ લેખ લંબાવવા નથી ઈચ્છ, પણ મેન્ટીસેરી પદ્ધતિ વિશે શા શા વાંધા જણાવવામાં આવ્યા હતા અને તે દરેક વાંધા ઉપર વિચાર કર્યો પછી શે વિચાર બંધાયે એ જ ટૂંકમાં અત્રે આપીશ. આ લેખને ઉદ્દેશ એટલો જ છે કે દરેક એગ્ય વ્યક્તિ કોઈ પણ શિક્ષણ પદ્ધતિના ગુણદોષને અને તેના લાભાલાભને વિચાર કરતી થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org