SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ] દર્શન અને ચિંતન વાતાવરણ સાધારણ લેકેના મનને આકર્ષિત કરે તો બહુ ખર્ચાળપણાને. પ્રશ્ન રહે જ કેવી રીતે ? અત્યારે પ્રજાને જે ગરીબ, સાધારણ અને તવંગર, વર્ગ પોતાનાં બાળકોનાં આત્મા, મન અને વાણીના સાહજિક વિકાસમાં રસ નથી લેતા કે વગર ખર્ચે તે વિકાસ સાધવાનો લાભ મળતો હોય તે તે લાભ ઉઠાવવા લક્ષ નથી આપતો; પણ તેથી ઊલટું ભીખ માગીને, કરજ કરીને કે સર્વસ્વ હેમીને પિતાનાં બાળકોના ઉપનયન, વિવાહ વગેરે પ્રસં. ગોમાં કૃતકૃત્યતા માને છે, તે જ પ્રજા કોઈ પણ શિક્ષણ પદ્ધતિનું આકર્ષક વાતાવરણ જુએ ત્યારે તે ખર્ચની દિશા બદલાવી એ પદ્ધતિને જરૂર પિ. પ્રજાને મોટે ભાગ ધર્મને નામે જડ સંસ્કારની અભ્યર્થનામાં લાખો અને કરેડો રૂપિયાનો ખર્ચ કરે છે તથા ધર્મગુરુઓ પિતાના દમામ સાચવવા. પાછળ પ્રજાની ટીમાંથી મોટો ભાગ ચોરે છે. પ્રજા પણ પોતાના અનેક નિરર્થક રીતરિવાજોમાં નિવાઈ ખર્ચ કર્યું જાય છે. પરંતુ જ્યારે પ્રજાનું ધ્યાન કોઈ પણ શિક્ષણ પદ્ધતિના સુન્દરતમ પરિણામવાળા વાતાવરણ તરફ આકર્ષાય ત્યારે એ પ્રજાને હાથે જડ સંસ્કાર, ધર્મગુરુઓના અણછાજતા આડંબરે અને નાશકારક રીતરિવાજો ન જ પિલાઈ શકે, એ નિયમ ઐતિહાસિક છે. જે મન્દીરી શિક્ષણ પદ્ધતિના પ્રયોગ કરનારાઓને અનુભવ તેઓને પિતાને ધૈર્ય અને ઊંડી આશા અર્પત હોય તે ખર્ચાળપણને પ્રશ્ન આડે આવવાને જ નથી. અલબત્ત, એ ખર્ચાળપણાને પ્રશ્ન તત્કાળ પૂરતો હોય તે તે કંઈક અંશે ઠીક છે, પણ જે કાયમ માટે બહુ ખર્ચાળપણાને આ પદ્ધતિના પ્રચારમાં કોઈ બાધક માને છે તે મારા વિચાર પ્રમાણે એક ભૂલ છે. જે આ પદ્ધતિ ઈષ્ટ પરિણામ ઉત્પન્ન ન કરી શકે. તે તેના પ્રયોક્તાઓ જાતે જ તેને દફનાવવાનું બળ ધરાવે છે, અને જે એ પદ્ધતિ સૌથી વધારે સરસ પરિણામ લાવશે (જેવો મારે તો વિશ્વાસ, છે) તો તેને બહુ ખર્ચાળપણું કદી આડે આવવાનું જ નથી. મોન્ટીસોરી પદ્ધતિ ખરેખર ખર્ચાળ છે એ વાત માન્ય રાખીને જ એકદેશીય રીતે અત્યાર સુધી આ ચર્ચા કરવામાં આવી છે, તે ખાસ હેતુસર. એ હેતુ એ છે કે પરાધીનતા, ગરીબાઈ, વહેમ અને અજ્ઞાનના દેષોથી પીડાતે જે દેશ, એ જ દોષના પિષણ પાછળ આંખો મીંચી અપવ્યય કર્યો જતો હોય અને જ્યારે તેની સમક્ષ ઉપર્યુક્ત દોષનું નિવારણ કરે તેવી શિક્ષણપદ્ધતિ મૂકવામાં આવતી હોય ત્યારે, તે દેશને તે પદ્ધતિ વિરુદ્ધ ખર્ચાળપણને વાંધો ઉઠાવવાનો અધિકાર જ કેવી રીતે સંભવે ? પિતાનાં બાળકેના આત્માની અને શરીરની ખરી સુન્દરતા જેવાને બદલે માત્ર તેઓનાં શરીરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy