SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ] દશન અને ચિંતન આવશે તે તે કાંઈ ને કાંઈ ધ ગ્રહણ કરશે, કાંઈને કાંઈ શીખશે. આ ઉદારતા જ્ઞાનમૂલક હો કે નિર્બળતામૂલક હો, પણ તે પિષવા અને ઉત્તેજના, લાયક તે છે જ. હેમચન્દ્ર જ્યારે સિદ્ધરાજ પાસે જતા ત્યારે શું તેઓ જાણતા નહિ કે સિદ્ધરાજ શિવ છે? જ્યારે હેમચન્દ્ર સોમનાથ પાટણના શિવ મંદિરમાં ગયા ત્યારે શું તેઓ જાણતા નહિ કે આ શિવમંદિર છે ? જ્યારે તેમના ઉપાશ્રયમાં સિદ્ધરાજ અને કુમારપાળ આદિ પહેલવહેલા આવેલ ત્યારે શું તેઓએ રામ, કૃષ્ણ આદિનું નામ લેવું સર્વથા છોડી દીધું હતું? અને માત્ર અરિહંતના નામનું જ રટન કરતા હતા ? જ્યારે હીરવિજયજી અકબરના દરબારમાં ગયા ત્યારે શું અકબરે અને એના બીજા ભાદાર દરબારીઓએ ખુદા ને મહમદ પેગંબરનું નામ છોડી દીધું હતું ? અથવા તો જ્યારે અકબર હીરવિજ્યજીના ધર્મસ્થાનમાં આવ્યું ત્યારે શું તેણે ખુદાનું નામ અભરાઈએ મૂકી અરિહંતનું જ નામ ઉચ્ચારવું શરૂ કર્યું હતું ? આવું કશું ન હતું, અને છતાં જૈને પહેલેથી આજ લગી સત્તાધારી, પ્રભાવશાળી અને સમ્પત્તિશાળી હોય એવા ગમે તે વર્ગના માણસને માટે પિતાના ધર્મસ્થાનનાં દ્વાર ખુલ્લાં જ રાખતા આવ્યા છે. ત્યારે પ્રશ્ન થાય છે કે જો જેમ પરમ્પરાની પ્રકૃતિ આવી છે તે તે અત્યારે હરિજનના મંદિરે–પ્રવેશ બિલ વખતે આ ઉગ્ર વિરોધ કેમ કરે છે? જે વસ્તુ એ પરમ્પરાના પ્રાણમાં નથી તે વસ્તુ અત્યારે એના હાડમાં કયાંથી ઊતરી ? . આને ઉત્તર જૈન પરમ્પરાની નબળાઈમાં છે. ગુરુસંસ્થા પૂરત તો જાતિસમાનતાને સિદ્ધાંત જેનેએ મર્યાદિત અર્થમાં સાચવ્યો, કેમ કે અત્યારે પણ જૈન ગુરુસંસ્થામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય,ગોરાઓ, પારસીઓ આદિ કોઈપણ સંમાન્ય સ્થાન પામી શકે છે. હું મર્યાદિત અર્થમાં એટલા માટે કહું છું કે જે ગુરુસંસ્થામાં ક્યારેક હરિકેશી અને મેતારજ જેવા અસ્પૃશ્યોને પૂજ્ય પદ પ્રાપ્ત થયું હતું તે ગુરુસંસ્થામાં ત્યારબાદ ક્યારેય અસ્પૃશ્યોને સ્થાન મળ્યું હોય તેવો ઈતિહાસ નથી. એટલું જ નહિ પણ, તે અસ્પૃશ્યનો ઉદ્ધાર કરી તેમને સ્પૃશ્ય બનાવવાને. અને માણસાઈની સામાન્ય ભૂમિકા ઉપર લાવવાને જૈન ધર્મને મૂળ સિદ્ધાંત પણ જેનો સાવ ભૂલી ગયા છે. જૈનોને ત્યાં હરિજનોને પ્રવેશ છે, અને તે પણ અનિવાર્ય. માત્ર ગૃહસ્થને ત્યાં જ નહિ, પણ ધર્મસ્થાન સુધ્ધાંમાં હરિજનોને, તેઓ ઈચ્છે કે ન ઈચ્છે તેય, અનિવાર્ય પ્રવેશ છે, પરંતુ તે પ્રવેશ સ્વાર્થ પ્રેરિત છે. જેને પોતાના જીવનને ટકાવવા, સ્વચ્છતા ને આરે.. અને આદર્શ ગુલામીના પિષણ દ્વારા ટકાવી રાખવા હરિજનને તેઓ ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy