SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ હરિજન અને જૈન [ ૧૮૫ પડ્યુ હાય ને ખીજો કાઈ આપમેળે તે કામ કરી આપતા હોય તો કયા એવા સમજદાર જૈન હશે કે જે એ કામને પેાતાનું ગણી વધાવી નહિ લે, અને પેાતાની આજ સુધીની અજ્ઞાનજન્ય ભૂલને સુધારવા બદલ એ કામ કરી આપનારને ધન્યવાદ નહિ આપે? આ રીતે જોવા જઈએ તે મુંબઈ સરકાર જે ધારા ધડી રહી છે તે ખરી રીતે જૈન ધર્મનું જ કામ બજાવી રહી છે. જેનાએ તેા હરિજન-મંદિરપ્રવેશ બિલ ઉપસ્થિત કરનાર અને તેને કાયદાનું રૂપ આપવા ઇચ્છનાર સરકાર દ્વારા હેમચંદ્ર, કુમારપાળ, હીરવિજયજીજ કામ કરી રહ્યા હાય એમ માની ચાલવું જોઈએ. તેને બદલે પોતાના મૂળભૂત ધ્યેયથી ઊલટી જ દિશામાં ચાલવું એ તો પેાતાના ધર્મની હાર અને સનાતન વૈદિક પરમ્પરાની જીત કબૂલવા ખરાખર છે. હરિજન–મદિરપ્રવેશ બિલ ગમે તેણે ધાવુ હોય તે ગમે તે સરકાર અધિકાર ઉપર હાય, પણ એમાં વિજય । જૈન ધર્માંના અસલી આત્માના જ છે. આવે! વિજય દેખી તેમાં રાચવા અને તેને સાથ આપવાને બદલે પાતાની ધર્મસ્મૃતિ અને પ્રામાદિક સ્થિતિને જ ધમ લેખી સત્કાર્યના કલ્પિત લીલાથી વિરોધ કરવા એ ખીજું ગમે તે હોય પણ જૈનપણું તો નથી જ. જૈતા પરાપૂર્વની જેમ પેાતાના ત્યાગી સંધમાં, જાત કે લિંગને ભેદ રાખ્યા સિવાય, સૌતે સ્થાન આપતા આવ્યા છે તેમ તેઓ હમેશાં પાતાનાં ધર્મસ્થાનોમાં જન્મથી જૈને ન હેાય તેવાઓને સમજાવીને, લાલચથી, લાગવગથી કે બીજી રીતે લઈ જવામાં ગૌરવ માનતા આવ્યા છે. કાઈ પરદેશી ગૌરવણ ભાઈ કે બાઈ, સત્તાધારી કે વૈભવશાળી પારસી કે મુસલમાન હાય, કાઈ અમલદાર હાકાર કે ભીલ હાય કે હરકેાઈ, પણ જો તે સમ્પત્તિ, સત્તા કે વિદ્યાથી ઉચ્ચ ગણાતા હોય તે તેને પાતાનાં ધર્મસ્થાનમાં યેન કેન પ્રકારેણ લઈ જવામાં જેને જૈન ધર્મની પ્રભાવના માનતા આવ્યા છે, અને એવી વ્યક્તિ જો આપમેળે જૈન ધમસ્થાનામાં આવવાની ઇચ્છા પ્રદર્શિત કરે તે તા જૈન ગૃહસ્થ કે ત્યાગીઓની ખુશીના પાર રહેતા નથી. આ વસ્તુસ્થિતિ આજ લગી સામાન્ય છે. આવે વખતે કાઈ પણ ત્યાગી કે ગૃહસ્થ જૈન એમ વિચારવા નથી થેાલતા કે મદિર અગર ઉપાશ્રય આદિ ધર્મસ્થાનેમાં આવનાર વ્યક્તિ રામનું નામ લે છે, કૃષ્ણનું નામ લે છે, અહુરમનુ નામ લે છે, કે ખુદા અગર ઈસુ ખ્રિસ્તનું નામ લે છે. એના મનમાં એટલું જ હોય છે કે ભલેને ગમે તે પથનેા હાય, ગમે તેનું નામ રટણુ તેની ઉપાસના કરતા હોય, કદાચ માંસભક્ષી અને મદ્યપાની પણ હાય, છતાં જો તે આપમેળે અગર મારી પ્રેરણાથી જૈન ધર્મસ્થાનમાં એકાદ વાર પણ કરતા હોય, ગમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy