________________
૧૮૨૩
દર્શન અને ચિંતના
:
•
>
ધ્રુવની - હિન્દુ ધર્મની બાળપોથી' લઈએ, કે દીવાન નદાશંકર મહેતાને હિન્દુ તત્ત્વજ્ઞાનનેા ઇતિહાસ ' લઈ એ તો જણાશે કે તેમાં વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ જ જીવતી ભારતીય ધમ પર પરાઓને હિન્દુ ધમ તરીકે માન્ય રાખવામાં આવી છે, જે બધી રીતે વાજી છે.
આટલી ચર્ચા ખીજા પક્ષનુ પાકળપણું જાણવા માટે બસ થવી જોઈ એ. આ પ્રમાણે જૈન ધર્મ હિન્દુ-ધર્માંન્તત હોય અને છેજ, તેપણુ એ પ્રશ્ન તો ઊભા જ રહે છે કે જો મૂળે હિરજને જૈન સમાજના અંગ તેમ જ જૈન ધર્મના અનુયાયી ન હેાય તે, તેમને માટે ધડાતો કાયદો તેઓ હિન્દુ સમાજના જે ભાગના અંશ હોય અગર હિન્દુ ધર્માંની જે શાખાના અનુયાયી ગણાવા યાગ્ય હાય તેટલા જ હિન્દુ સમાજના કે હિન્દુ ધર્મના ભાગને લાગુ પડે તેવા જોઈએ, નહિ કે આખા હિન્દુ સમાજ કે આખા ધર્મને લાગુ પડે તેવા.
જેના પોતાના સમાજમાં હરિજનાને અત્યાર લગી લેખતા જ નથી આવ્યા કે નથી હરિજના પેાતાને જૈન સમાજના ઘટક તરીકે લેખતા. એજ રીતે હિરજનામાં જૈન ધર્માંતુ એકકે વિશિષ્ટ લક્ષણૢ આચરાતું નથી રહ્યું કે. નથી હરિજને જૈન ધમ આચર્યોના દાવા કરતા. હિરજનામાં ગમે તેટલી નાતજાતે હાય, પણ તેમાંથી જે ક્રિશ્ચિયન નથી અને જેએએ ઇસ્લામ નથી સ્વીકાર્યાં તે બધા શંકર, રામ, કૃષ્ણ, દુર્ગા, કાળી ત્યાદિ અનેક વૈદિક કે પૌરાણિક પર પરાના દેવામાંથી જ કાઈ ને અને કાઈ ને માને–ભજે છે અને વૈદિક કે પૌરાણિક ગણાતા હાય એવાં જ તીર્થોને કે પતિથિઓને અગર વ્રત-નિયમેાને પાળે છે. હિરજનામાંથી થઈ ગયેલ જૂના વખતના સંતો કે પાછલા વખતના સતા પણ વૈદિક કે પૌરાણિક પર પરામાં જ છેવટે સ્થાન પામ્યા છે. તેથી હરિજનાને હિન્દુ સમાજના અંગ અને હિન્દુ ધર્મના અનુયાયી માની લેવા છતાંય તેમને સમાસ હિન્દુ સમાજની વૈદિક-પૌરાણિક પરંપરામાં થઈ શકે, જૈન પર પરામાં તે નહિ જ. આવા ફલિતાર્થે બધી ચર્ચા ઉપરથી નીકળે છે, અને તે સાધાર પણ છે. તેથી ખીજા પક્ષની રજૂઆત કરનારાઓએ હરિજન–મંદિરપ્રવેશના બિલને જૈન સમાજથી ખાકાંત રખાવવું હોય તો એમ કહેવાની જરૂર નથી કે જૈન ધર્મ હિન્દુ ધર્મથી જુદો છે, પણ એમણે બહુ બહુ તો એટલું જ કહેવું જોઈએ કે હરિજનાય હિન્દુ છે, જૈના પણ હિન્દુ છે, જૈન ધમ પણ હિન્દુ ધર્મના એક ભાગ છે; છતાં હરિજને જૈન સમાજના નથી અંગ કે નથી જૈન ધર્મના અનુયાયી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org