________________
૧૮૦ ]
દર્શન અને ચિંતન માન્ય થયો છે અને તે એ કે કાશ્મીરથી કન્યાકુમારી અને સિન્ધથી આસામ સુધી બધે ભાગ તે “હિન્દ'.
પણ હિન્દ કે હિન્દુસ્તાનને અર્થ ગમે તેટલે જૂન અને ક્રમે ક્રમે વિસ્તર્યો હોય છતાં એ પ્રશ્ન તે ઊભો જ રહે છે કે હિન્દુ સમાજમાં કેણું કેણુ આવે? શું હિન્દુસ્તાનમાં વસતા બધા જ હિન્દુ સમાજમાં સમાસ પામે છે કે તેમાંથી અમુક જ ? અને જે અમુક જ વર્ગે હિન્દુ સમાજમાં સમાસ પામતા હોય તે તે ક્યા કયા ? આને ઉત્તર શોધવા બહુ આઘે જવું પડે તેમ નથી. જોકે હિન્દુસ્તાનમાં પરાપૂર્વથી અનેક જાતિઓ અને માનવકુળ આવતાં રહ્યાં છે અને સ્થિર થયાં છે, પણ એ બધાં હિન્દુ સમાજમાં સ્થાન પામ્યાં નથી. આપણે જાણીએ છીએ કે મુસ્લિમો આ દેશમાં વ્યાપારી તરીકે અને રાજ્યકર્તા તરીકે આવીને સ્થિર થયા, પણ તેઓ હિન્દુ સમાજથી જુદા જ ગણાયા છે. એ જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે કાંઈકે મુસલમાનોના આવ્યા પહેલેથી અને ત્યાર બાદ સવિશેષે પારસીઓ હિન્દુસ્તાનમાં આવી વસ્યા અને તેમણે પણ મુસલમાનોની પેઠે હિન્દુસ્તાનને માતૃભૂમિ માની લીધી છે, છતાંય તે હિન્દુ સમાજથી જુદા ગણાય છે. એ જ રીતે ક્રિશ્ચિયન ગેરી જાતિઓ પણ હિન્દુસ્તાનમાં રહેવા છતાં હિન્દુ સમાજનું અંગ બની નથી. આ બધું ધ્યાનમાં લઈ તેમ જ હિન્દુ સમાજમાં ગણના પામેલ જાતિઓ અને વર્ગોના ધાર્મિક ઈતિહાસને ધ્યાનમાં લઈ તિલક જેવા સુજ્ઞ વિચારકોએ “હિન્દુ” શબ્દની જે વ્યાખ્યા બાંધી છે તે તદ્દન સાચી છે. તે વ્યાખ્યા પ્રમાણે જેના પુણ્યપુરુષો અને તીર્થો હિન્દુસ્તાનમાં આવ્યાં હેય, એટલે કે જેઓ હિન્દુસ્તાનને જ પિતાના દેવો અને ઋષિઓનું જન્મસ્થાન તેમ જ હિન્દુસ્તાનને જ પોતાની તીર્થભૂમિ માનતા હોય તે હિન્દુ, અને તેમને આખો સમાજ તે હિન્દુ સમાજ.
આપણે જેનોને ઉપર કહેલ હિન્દુ સમાજની વ્યાખ્યા માન્ય ન કરવા માટે કઈ પણ કારણ નથી. જૈનોના બધાં જ પુણ્યપુરુષ અને પુણ્યતીર્થો, માત્ર હિન્દુસ્તાનમાં જ આવેલાં છે. તેથી જેને હિન્દુ સમાજથી જુદા હોઈ શકે નહિ. તેમને જુદા બનાવવાની પ્રવૃત્તિ જેટલી ઐતિહાસિક ભ્રમણાવાળી છે તેટલી જ “હિન્દુ” શબ્દને “વૈદિક પરમ્પરા એટલે સંકુચિત અર્થ કરી અણસમજુ અને સપ્રદાયઘેલા જેને ભરમાવવામાં આવે છે. પણ આ પહેલા પક્ષની પિકળતા અત્યારે ભણેલગણેલ ગણાતા કેટલાક લેકના ધ્યાનમાં આવી ગઈ છે. એટલે વળી તેમણે એક ન જ મુદ્દો ઊભો કર્યો છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org