________________
મહરિજનો અને જો
[ ૧૭૯ તો સાચું છે. એ પક્ષ “હિન્દુ’ શબ્દનો અર્થ માત્ર બ્રાહ્મણધર્મોનુયાયી અથવા તે વૈદિક પરમ્પરાનુયાયી સમાજ એટલે જ સમજે છે. પણ આ પક્ષ ઈતિહાસ અને પરમ્પરાની દૃષ્ટિએ સાવ ભીંત ભૂલે છે. ઈતિહાસ અને પરમ્પરાના જ્ઞાનને અભાવે એ પક્ષે પિતાની સગવડ પૂરતી હિન્દુ શબ્દની સંકીર્ણ વ્યાખ્યા, આપમેળે જ, ઘડી કાઢી છે. મારું આ વિધાન ર" કરવા અહીં કાંઈક ઊંડા ઊતરવું પડશે.
ગ્રીક સિધુના તટ સુધી આવ્યા ત્યારે તેઓ ભારતના ૧ - પ્રદેશને જાણતા તેને પિતાના ઉચ્ચાર પ્રમાણે “ઈન્ડસ ” કહેતા. ભારતના અંદરના ભાગથી જેમ જેમ તેઓ વધારે પરિચિત થતા ગયા તેમ તેમ તેઓનો “ઇન્ડસ” શબ્દનો અર્થ પણ વિસ્તરતો ગયે. મહમદ પેગંબર થયા તે પહેલેથી જ આર ભારતમાં આવેલા. કેટલાક સિધુ નદીને કિનારા સુધી આવી રહેલા. બીજા કેટલાક આરબ વ્યાપારીઓ માત્ર સમુદ્રરતે ભારતને કિનારે કિનારે પશ્ચિમથી ઠેઠ પૂર્વ સુધી એટલે કે જાવા, સુમાત્રા અને ચીન સુધી સફર કરતા. આ આરબ વ્યાપારીઓએ પિતાને પરિચિત એવા ભારતના આખા કિનારાને “
હિન્દ કહ્યો છે. આરબોને ભારતમાં બનેલી તલવાર બહુ પસંદ હતી ને તેઓ તે ઉપર મુગ્ધ હતા. ભારતનાં સુખ-સમૃદ્ધિ અને ખુશનુમા હવાપાણી પણ તેમને બહુ આકર્ષતાં. તેથી તેમણે ભારતને લાયેલા અને સલમા તરીકે, એટલે કે ભાશક અને સલામત રાખનાર તરીકે, પોતાની કવિતાઓમાં ગાયું છે. ભારતની તલવારને તેમણે એના ઉદ્દભવસ્થાન હિંદને નામે જ “હિન્દ કહી પ્રશંસી છે. ત્યાર બાદ પેગંબર સાહેબનો જમાને આવે છે. મહમદ-બિન-કાસમે સિંધમાં થાણાં નાખ્યાં. મહમદ ગિઝની અને બીજા આક્રમણકારી મુસલમાને દેશમાં આગળ ને આગળ વધતા ગયા, અને સત્તા જમાવતા ગયા. એ જમાનામાં મુસલમાનોએ લગભગ આખા અંદરના ભારતનો પરિચય કરી લીધો હતો. તેથી તેમના ઈતિહાસકારોએ અંદરના ભારતને ત્રણ ભાગમાં વહે છે. સિંધુ, હિન્દ અને દક્ષિણ. હિન્દથી તેમણે સિધુ પછીના આખા ઉત્તર હિન્દુસ્તાનને ઓળખાવ્યું છે. અકબર અને બીજા મુગલ શહેનશાહોના રાજ્યવિસ્તાર વખતે વહીવટ અને બીજી સગવડની દૃષ્ટિએ તેમણે આખા ભારતને હિન્દ તરીકે ગણે છે. આ રીતે હિન્દુ અને હિન્દ શબ્દનો અર્થ, ઉત્તરોત્તર તેને પ્રગ અને વ્યવહાર કરનારાઓની માહિતી વધવાની સાથે સાથે, વિસ્તરત જ ગમે છે. અંગ્રેજી અમલ દરમ્યાન તેને એક જ નિર્વિવાદ અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org