________________
હરિજન અને જેનો
[૨૭] જ્યારથી મુંબઈ ધારાસભામાં હરિજન–મંદિરપ્રવેશનું બિલ ઉપસ્થિત થયું છે ત્યારથી, લાંબા વખત થયાં સૂતેલું જેનું માનસ સવિશેષ જાગૃત થયું છે. એ માનસના કોઈ એક ખૂણાથી એ ધ્વનિ, પંડિતાઈ શેઠાઈ અને સાધુશાહી સાથે, ઊઠવા લાગે છે કે હરિજનો તે હિંદુ સમાજને ભાગ છે અને જૈને તે હિંદુ સમાજથી જુદા છે; એટલે કે હિન્દુ સમાજને લક્ષીને ઘડવામાં આવેલ હરિજન–મંદિર પ્રવેશ બિલ જૈન સમાજને લાગુ પડી શકે નહિ. એ જાગૃત જૈન માનસના બીજે ખૂણેથી વળી એ નાદ ઊડ્યો છે કે ભલે જૈન સમાજ હિન્દુ સમાજને એક ભાગ હોય અને તેથી જૈન સમાજ હિન્દુ ગણાય, તે પણ જૈન ધર્મ એ હિન્દુ ધર્મથી સાવ જુદો છે, અને હરિજન–મંદિર પ્રવેશ બિલ હિન્દુ ધર્મમાં સુધારે દાખલ કરવાને લગતું હોવાથી તે જૈન ધર્મને લાગુ પડી શકે નહિ, કેમ કે હરિજને એ હિન્દુ ધર્મના અનુયાયી છે, જૈન ધર્મના નહિ. અને જૈન ધર્મ તે મૂળે હિન્દુ ધર્મથી જુદો છે. આ બે વિરોધી સૂરે ઉપરાંત એ જાગૃત જૈન માનસમાંથી બીજા પણ સૂરે ઊઠયા છે. કોઈ સૂર એ છે કે તે લાંબા વખતથી ચાલું એવી જૈન પરમ્પરા અને પ્રણાલીને આડે ધરી હરિજનોને જૈન મંદિરપ્રવેશથી બાકાત રાખવા એ બિલનો વિરોધ કરે છે. બીજો સૂર વળી ન મંદિરે ઉપર જૈન સંપત્તિ અને જૈન માલિકીને દાવો રજુ કરી એ બિલ સામે મોરચે રચે છે.
બીજી બાજુ એવા જ જાગૃત જૈન માનસમાંથી ઉપર સૂચવેલ જુદા જુદા વિધી સુરેને જવાબ આપતે એક નવયુગીન પ્રતિધ્વનિ પણ સ્પષ્ટપણે ઊઠયો છે. આ લેખમાં ભારે વિચાર બને તેટલા ટૂંકાણમાં, છતાં લંબાણના
અતિભય સિવાય, એ બધા પક્ષની ગ્યતા–અયોગ્યતા તપાસવાને તેમ જ પિતાનો નિર્ણય સ્પષ્ટપણે રજૂ કરવાનું છે. હવે અનુક્રમે એક એક પક્ષ લઈ વિચાર કરીએ.
પહેલા પક્ષનું એમ કહેવું છે કે જૈન સમાજ હિન્દુ સમાજથી જુદો છે તે એ પક્ષની સંકુચિત દૃષ્ટિ પ્રમાણેની “હિન્દુ” શબ્દની વ્યાખ્યા પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org