________________
સ્વરાજ્ય અને સુરાજ્ય
[ ૧૭ ધ્યાન ખેંચે છે એવાં એકબે લક્ષણોને નિર્દેશ આવશ્યક છે. આચાર્ય વિનોબા ભાવેની ભૂદાનયજ્ઞ પ્રવૃત્તિ એ એક ક્રાંતિકારી માનસને પૂરતો ખોરાક પૂરું પાડે છે અને દેશ શરીરમાં એકત્ર થયેલ અને જામી ગયેલ નિરર્થક સંપત્તિના લેહીને ગતિ આપી દેશ શરીરની સમધારણ તુલા રાખવાનું કામ કરી રહેલ છે. ગાંધીજીએ પ્રારંભેલ અહિંસાના સર્વમુખી યજ્ઞને એ વિસ્તારી અને વિકસાવી રહેલ છે, જેમાં લાખો અને કોડેની આજીવિકાને પ્રશ્ન ઉકેલવાનો સંભવ છે.
ગાંધીજીનું બીજું ચિરસેવિત સ્વપ્ન એ હતું કે બુદ્ધિની એકાંગી કેળવણીના સ્થાનમાં ક્રિયાપ્રધાન સર્વાગી કેળવણી દેશમાં પ્રતિષ્ઠા પામે, અને તે પ્રામાભિમુખ પણ બને. આ સ્વપ્નને મૂર્ત કરવા પ્રયત્ન તો કેટલાયે વર્ષ થયાં ચાલતા હતા, પણ હમણાં એ પ્રયત્ન કાંઈક મોટા પાયા ઉપર શરૂઆત કરી છે અને તે પણ બ્રાહ્મણત્વનો યથાર્થ વારસ ધરાવનાર આજીવન કેળવણું તેમ જ લકકેળવણુને વરેલ શ્રી. નાનાભાઈ ભટ્ટ જેવાને હાથે. આ વસ્તુ આમ તે સાધારણ લાગે, પણ ચાલુ કેળવણી અને ઉચ્ચ કેળવણીના પડેલા ધોરી રસ્તાઓથી જેઓ સંતુષ્ટ નથી અને જે કાંઈ દેશને જોઈએ તેવું અને ગામડાંને પચે તેવું શિક્ષણ માગી રહ્યા છે તેમને માટે આવશ્યક કાર્યક્ષેત્ર પૂરું પાડે છે.
દેશના કેટલાયે ભાગમાં કોઈ ને કોઈ નાના પાયા ઉપર સુપ્રવૃત્તિઓ ચાલતી દેખાય છે. પણ ઉપરની બે પ્રવૃત્તિઓ એટલા માટે નોંધી છે કે પહેલી અત્યારે ભારતવ્યાપી છે, જ્યારે બીજી ગુજરાતવ્યાપી છતાં છેવટે ભારતવ્યાપી થવાની પૂર્ણ શક્યતા ધરાવે છે. આવી જ પ્રવૃત્તિઓ ક્યારેક સુરાજ્યની ઝાંખી કરાવશે એ ચોક્કસ.
–પ્રસ્થાન, ઓગસ્ટ ૧૯૫૩.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org