SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ] દુન અને ચિંતન જેવાની સુરાજ્યનાં ઘણાં લક્ષણા દર્શાવી તેના અસ્તિત્વ-નાસ્તિત્વ વિશે ચર્ચા. લખાવી શકાય, પણ એ જરૂરી નથી. તેમ છતાં એક દાખલો ટાંકવા જોઈ એ. જો છાપાને હેવાલ જૂડો ન હેાય તો તે જવાબદાર મ ંત્રી વિચારસરણી ઉપર પ્રકાશ નાખે છે. મુંબઈ પ્રાંતના એક મંત્રીને પૂછવામાં આવ્યું કે મંત્રીઓના પગાર પૂરતા છે કે નહિ ? મંત્રી મહાશયે અપૂરતા કથાનું છાપામાં આવ્યું છે. પ્રશ્ન એ છે કે અપૂરતા કયા અર્થાંમાં? મોટા મોટા ઉદ્યોગપતિઓની આવકની સરખામણીમાં કે અ’ વના રાજ્યાના રાજાઓના સાલિયાણાની સરખામણીમાં ? જો એમ હોય તે તે અપૂરતા અવશ્ય છે. પણ જનતાના મેનટા ભાગને જે સગવડા છે તે કરતાં મંત્રીઓની સગવડ ઓછી છે કે વધારે? જો વધારે હોય તે અપૂરતા ન કહી શકાય. છેવટે તા તેઓ જનતાના પ્રતિનિધિ છે, નહિ કે માત્ર માલદારના. હું ધારું છુ, મંત્રીઓને રહેવાની અગવડ નહિ હોય, પોશાક તેમ જ ખાનપાનની નહિ હોય, અને અગત પરિવારને તાલીમ આપવાની પણ નહિ હાય. પણ ધારા કે એવી કાંઈ હાય તે તે અગવડ જ તેમને માટે પૂરતો પગાર ગણાવી જોઈ એ, કેમ કે તેઓ છેવટે જનતાની સેવા અર્થે એ પદે બેઠા છે. લોકેા કહ્યા કરે છે કે મોટા મોટા હોદ્દેદારોના પગાર બહુ વધારે છે; ખાસ કરી ચીન જેવા દેશની સરખામણીએ તે બહુ વધારે છે. બીજી બાજુ અમલદારને એ અપૂરતા લાગે. તે આમાં સાચુ શું? વિચાર કરતાં જણાશે કે અન્ને સાચા છે. લેાકો ટીકા કરે છે તે પાતાના જીવનધારણ અને પેાતાની આવકની દૃષ્ટિએ. જે ઉચ્ચ કક્ષાના અમલદારાને પગાર અપૂરતો લાગતા હાય તેમનું મન વધારે આવકવાળાને સામે રાખી વિચાર કરતું હોય છે. પણ જો સ્વરાજ્યે સુરાજ્યની દિશામાં આગળ વધવું હોય તે ઊંચો હોદ્દો ધરાવનાર અમલદારાએ પેાતાનું માનસ બદલવું જ જોઈશે. તેમણે પોતાના વિચાર કર્યો પહેલાં પોતાના હાથ નીચેના અગવડ ભોગવતા અધિકારીઓની સગવડ વધારવાને વિચાર પ્રથમ કરવા જોઈ શે; અને જ્યાં લગી સામાન્ય જનતાનુ જીવનધારણ ઊંચું ન આવે ત્યાં લગી તેમણે અગવડ વેઠવામાં કૃતાતા લેખવી જોઈશે. એમ ન થાય તે તેઓ કદી સામાન્ય જનતાની અને અગવડ ભાગવતા હાથ નીચેના અધિકારીની સાચી પ્રીતિ મેળવી નહિ શકે. સુરાજ્યમાં આવી સાચી પ્રીતિ મેળવવી એ જ ધન લેખાય છે. આમ, બધું ચાલે છે તેમ ચાલતું હાવા છતાં સુરાજ્યનાં કાઈ કાઈ લક્ષણા સ્પષ્ટ રીતે આવિર્ભાવ પામતાં જાય છે, એ એક આશાસ્પદ અને જીવનપ્રદ વસ્તુ છે. આવાં લક્ષણામાં, જેનું પ્રભાત ઊગ્યું છે અને જે વિચારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy