SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરાજ્ય અને સુરાજ્ય [ ૧૭૫ ગયું છે કે બહુ ગણ્યાગાંઠયા જ સરળતાથી તે મેળવી શકે. બીજાઓ માટે તો કેળવણું લેવી–માનસિક સંસ્કાર અને યોગ્યતા મેળવવાં—એનો અર્થ છે પિતાની જુવાની બરબાદ કરવી; એટલું જ નહિ, પણ પિતાના પિષકે અને વડીલેને અર્થે પેટે રાખવા. ગાંધીજીના પ્રયત્નમાં એ પણ એક વસ્તુ સમાયેલી હતી કે લોકે બધા જ સરખી રીતે કેળવાય. આ બાબતમાં પણ સ્વરાજ્યસરકાર ગાંધીજીની દૃષ્ટિને વિકસાવી શકી નથી. સુરાજ્યનું એક લક્ષણ એ છે કે તેમાં ન્યાય મેળે ન હોય અને તે મેળવવામાં જરાયે મુશ્કેલી ન હોય. આજે આ બાબતમાં બ્રિટિશ અમલ કરતાં કશે જ સુધારે થયો નથી. ઊલટું કાયદાની ગૂંચે વધવા સાથે ન્યાયના પવિત્ર આસન પર બેઠેલાઓ પણ પિતાની ફરજ વધારે ભૂલતા દેખાય છે. સુરાજ્યનું એક લક્ષણ એ છે કે તેમાં કરનું ધોરણ એવું હોય કે કરને ભરનાર અને તેને વસૂલ કરનાર બેમાંથી કોઈને હાડમારી સહેવી ન પડે અને સરળતાથી સરકારના હાથમાં કર આવે. આજે આથી સાવ ઊલટું છે. કર ભરનારની હેરાનગતિને સરકારને અંદાજ જ નથી. એની વસૂલાતમાં ગોટાળા કેવા થાય છે એને પણ જાણે પૂરે ખ્યાલ કોઈને આવતું નથી. અને સરકારના ખજાનામાં કર આવવાને બદલે મેટા પ્રમાણમાં તે વચ્ચે જ કેવો ભરખાઈ જાય છે એને પણ સાચે તોલ કેઈને હોય એમ લાગતું નથી. આને લીધે પ્રજા ઉપર કરનું ભારણ વધવા છતાં તેનો લાભ પ્રજાને મળતો નથી અને સરકારને પૈસાની ખોટ ઊભી જ રહે છે. આ માટે બહુમુખી વેચાણવેરાનો દાખલો ટાંકી શકાય. મેટા અમલદારોમાં હૈયાઉકલત જોઈતા પ્રમાણમાં હેત તો એમણે ક્યારને ઉકેલ કાઢ્યો હતો એમ કાઈ કહે તેને અવગણી નહિ શકાય. સુરાજ્યનું એક લક્ષણ એ પણ છે કે તેમાં સૌને વૈદકીય સારવાર સરળતાથી મળે અને તે પિોસાય તેવી હોવી જોઈએ. આજે આ સ્થિતિ નથી. જાણે પૈસાદારે જ જીવવા સર્જાયા છે અને બીજાને જીવવાને તે હક્ક નથી, એ વસ્તુ અત્યારની સરકારી, અર્ધસરકારી કે ખાનગી વૈદકીય સારવાર કરનાર સંસ્થાઓના વ્યવહારથી તરી આવે છે. મધ્યમ વર્ગના અને તેથીયે ઊતરતા વર્ગના લેકે કેવા કષ્ટ સારવાર મેળવે છે અને એ મેળવવા જતાં પેટે કેવા પાટા બાંધવા પડે છે! જે સારવારથી સાજા થવાય તે એનો કારી ઘા કેવો લાગે છે અને તે કેટલા વખત સુધી તેને મૂંઝવે છે એનો ખ્યાલ કોઈ સત્તાગીને આવતું હોય તો પણ એક સારું લક્ષણ ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy