SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વરાજ્યને છઠ્ઠ વર્ષે [૧૬૯ તેની સેવાર્થે નીકળવાને દાવો કરવા છતાં તેઓ તે દાવાને વફાદાર નથી રહેતા. એટલે ઝડપથી અમલ કરવાની દૃષ્ટિએ તે સરકાર ઉપર જ બધી જવાબદારી આવી પડે છે. અત્યાર લગીને અનુભવ કહે છે કે ઝડપથી કામબજવણીની આવડત સરકારી તંત્રમાં નથી. સ્વરાજ્યને છ વર્ષે આ આરેપમાંથી મુક્ત થઈ સરકારી તંત્રે નવેસર ખાતરી કરી આપવી જોઈએ કે શરૂઆતનાં પાંચ વર્ષ શિખાઉપણાનાં હતાં. હવે અનુભવ ઠીક થ છે, એટલે તંત્રમાં ઢીલાશ નહિ જ હેય. ૩. પહેલાં, ૧૯૩૭માં જ્યારે પ્રાંતિક સ્વરાજ્ય મળ્યું ત્યારે ગાંધીજી બધા મિનિસ્ટરને કહેતા કે તમે માત્ર ઓફિસમાં જ અને તેના દફતરમાં ભરાઈ ન રહે. લેકમાં જાઓ, વિશ્વાસ મેળવે. ગાંધીજીનું આ કથન કેટલું મહત્વનું છે તે અત્યારે તો વધારે સ્પષ્ટ થાય છે. કેન્દ્રના અને પ્રાન્તના મંત્રીઓ અને બીજા રાજપ્રમુખ જેવા મોટા હોદેદારે સામાન્ય જનતામાં કેટલે અંશે ભળેહળે છે એમ જે કોઈ પૂછે તો એને ઉત્તર છાપા અને લેકે એ જ આપે કે તેઓ અનેક જાતના ઉદ્ઘાટન સમારંભમાં અને બીજા પ્રસંગમાં લેકે સામે આવે છે અને સાધારણ કે તેમનાં મોઢાં જોવા પામે છે. આ વસ્તુ સ્વરાજ્યના મૂળમાં જ ઘા કરનારી છે. એક તે વાંચવા લખવા અને ફાઈલેને ઉથલાવવામાં જ બુદ્ધિશાળી મંત્રીઓની શક્તિ એટલી બધી ખરચાઈ જાય છે કે પછી તેમની હૈયાઉકલત બહુ જ ઘટી જાય છે. જે દરેક ખાતાને મંત્રી પિતાને લાગતાવળગતા પ્રશ્નો પરત્વે પિતાને આધીન પ્રદેશમાં જાતે જઈલેકોને મળે, તેમના મેથી સીધી વાત સાંભળે અને તેમની સાથે વાતચીત કરે તે લોકો જરૂર એમ સમજવાના કે સરકાર આપણી છે. જ્યારે ગેરાઓ હતા ત્યારે તેઓ કદી મળતા નહિ, મળે તે રુઆબ એટલે બધે કે તેમને મળવું એટલે દેવોને મળવું એમ લેકે સમજતા. જે આજે પણ લેકોના દિલમાં આ જ ધારણું ચાલુ રહે તે એથી વધારે બૂરું બીજું હોય ન શકે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ જીવનમાં સૌથી વધારે મહત્ત્વ સહાનુભૂતિનું છે. વૈઘ કે પરિચર્યા કરનાર નર્સ જે પૂરેપૂરી સહાનુભૂતિવાળાં હોય તે દરદ ન મટયા છતાં, અને ઘણીવાર તે વધ્યાનું ભાન હોવા છતાં, દરદી એમના પ્રત્યે ઊંડી મમતા સેવે છે. તેને એમ થાય છે કે વૈદ્ય અને નર્સ સાચાં છે, છેવટે દરદનું મટવું ન મટવું એ તે ભગવાનને આધીન છે. દરદીની આવી લાગણી એ જ સાચા વૈદ્ય અને સાચી નર્સને વિજય છે. જે આ અનુભવ સારો હોય તો એ જ ન્યાય પ્રજા અને સરકાર વચ્ચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy