SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ] દર્શન અને ચિંતન લાગુ પડે છે. સરકાર માત્ર એમ કહ્યા કરે છે કે પ્રજાનેા સહયેાગ જોઇએ, તે પૂરો સહયોગ નથી આપતી, ઇત્યાદિ...પણ એણે વિચારવું જોઇએ કે પ્રજામાં સહયાગ કરવાની પૂરી લાગણી તે કેમ પ્રગટાવી શકી નથી? જો તે સાચા દિલથી આ વસ્તુ ઉપર વિચાર કરે તો તેને પોતાને જ પાતાની ખામી જણાશે. પ્રજાને ગાંધીજી પ્રત્યે મમતા હતી, પ્રજા તેમને દરેક બાબતમાં સહયોગ કરતી. એનું હાર્દ તપાસીશું તે જણાશે કે ગાંધીજી તેા પ્રજાના અદનામાં અદના માણસને પણ છૂટથી મળવાના અને તેની કથની સાંભળવાને અવસર આપતા. શું, આજે કાઈ સરકારી હાદ્દેદાર એમ કહી શકશે કે પ્રજાની સહાનુભૂતિ મેળવવાના આ કીમિયા તેને લાખ્યા છે? આજે પણ જે ગણ્યાગાંઠ્યા સેવા દેશના કાઈ ને કાઈ ભાગમાં અને કાઈ ને કાઈ પ્રજાના ઘરમાં પૂર્ણ રીતે ખૂપ્યા છે તેમના અનુભવ પણ એ જ કહે છે કે ટલાકસ પક એ જ લોકોના સહયાગ મેળવવાની ચાવી છે. શું રવિશંકર મહારાજ કે શું સ’તખાલ કે શું સ્વામી આનંદ એ બધાને પૂછો તે એક જ વાત કહેશે કે લેાકેા તે સાવ ભોળા છે, કહા તે કરવા તૈયાર છે; ફક્ત તેમનાં દિલ જીતવાં જોઈએ, તે તે તો સૌંપર્ક દ્વારા જ જીતી શકાય. સરકારી અમલદારો આ વસ્તુ ભાગ્યે જ જાણે છે અને તેથી જવાબદાર લાકઆગેવાનો પણ તેમના ઉપર આક્ષેપ મૂકતાં પાછા નથી પડતા કે તેમને તે વાલકેશ્વરની અગર નવી દિલ્હીની હવા જ ખાવી છે. પોતાની મુશ્કેલીએ દૂર નહિ થઈ હોય તેાપણુ જો પ્રજા એવા અનુભવ કરે કે સરકારી અમલદારો તેમની વાત ધીરજથી સાંભળે છે, તે તેને બહુ રિયાદ વિના મુશ્કેલી સહન કરવાનું અળ જરૂર મળવાનું. તેથી સરકારી તંત્રને જેવા તેવા લાભ નથી. ૪. સરકારી તંત્રમાં લાંચરુશ્વત અને લાગવગ કેટલા પ્રમાણમાં છે એનુ પ્રમાણ આપવાની જરૂર જ નથી. એક એક ખાતામાં એક એક મ`ત્રી, એને આધીન બીજા કેટલાયે ઉચ્ચ અમલદારા, તેમાં પણ આઈ. સી. એસ. જેવા હાદા ધરાવનારા આ બધા આધુનિક શિક્ષણ પામેલા અને મોટેભાગે દેશપરદેશમાં કરેલા. તેમના રુઆબ અને મામ જોતાં એમ લાગે કે તેઓ દેવના દીકરા છે. સામાન્ય માણસ તા એમની બુદ્ધિ, એમનાં ભણતર વિશે સાંભળીને જ આભે થઈ જાય. છતાં આપણે જોઈ એ છીએ કે એમાંથી હજી સુધી તે એક પણ માઈ ને લાલ એવા નથી નીકળ્યા કે જે સરકારી તંત્રના મુખ્ય સડાને દૂર કરવાની કાઈ જડીબુટ્ટી બતાવી શકયો હાય. આવી સ્થિતિમાં છૂટથી ફરિયાદ કરવા પૂરતું સ્વરાજ્ય પ્રાપ્ત થયા બાદ જો લોકેા એમ કહ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy