SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ] દર્શન અને ચિંતન કે શું જવાબદાર કાČકર્યો કે શું ઊંચા હાદ્દેદાર અમલદારાએ બધા જ એકસરખી ફરિયાદ કરતા જણાય છે કે સરકારે પ્રજાની એટલે કે તેના બધા જ વર્ગોની અગવડ પૂરેપૂરી જાણવી ઘટે. નહિ તો જે વર્ગ આગળ પડતા, વાચાળ અને છાપાંઓ પર કાબૂ ધરાવનાર તેની અગવડ જલદી સરકારના ધ્યાન ઉપર આવે અને ખીજા વર્ગો ખખડતા રહી જાય અને કહ્યા કરે કે ગાંધીજીનું સ્વરાજ્ય નથી અગર તે। આ કરતાં પરરાજ્ય સારું હતું, તો એને દોષ દઈ નહિ શકાય. સ્વરાજ્ય મળ્યું છે એવું જો પ્રજાના દિલમાં અને તેના એકેએક વર્ગના દિલમાં હસાવવું હોય તો સરકારના નાનામેટા અધા અમલદારોએ સહાનુભૂતિથી પોતાના કુટુંબની અગવડ સમજવા રખાય છે તેવા ખ્યાલ પ્રજાની અગવડ સમજવા રાખવા જ પડશે, નહિ તે કદી જશ મેળવી શકશે નહિ. ૨. પ્રજાની અગવડે કાંઈ એક જ પ્રકારની નથી હોતી; સમયે સમયે અને સ્થાનભેદે તે બદલાતી પણ રહે છે. સરકાર એ અગવડા જાણે તે પણ સવાલ એ ઊભા થાય છે કે તેને નિવારવા તે શું કરે છે? અને જે કરે છે તે ઝડપથી કે દી સૂત્રિતાથી ? આને જવાબ સરકારપક્ષે સંતોષપ્રદ અે જ નહિ. અત્યાર લગી પ્રજાનેા જ નહિ, પણ જવાબદાર અમલદારો અને નેતાઓને પણ અનુભવ એક જ છે અને તે એ કે સરકાર વસ્તુસ્થિતિ સમજવામાં જેટલી મોડી પડે છે તેના કરતાંય તેનું નિવારણ કરવામાં વધારે ઢીલ કરે છે. ડૉક્ટર દરદ જાણ્યા પછી દરદીને દવા આપવાનુ કહે, પણ જો તે દવા આપવામાં મેહુ કરે તે એણે દરદ જાણ્યું ન જાણ્યું ખરાબર છે. એક અતિ ઉચ્ચ કક્ષાના સ્વર્ગવાસી દેશનેતાએ ચેમાસામાં પડુ પડુ થઈ રહેલ મકાનમાં વસનાર પોતાના અધીન નોકરને કહ્યું કે ફિકર ન કર, મકાનની દુરસ્તી જલદી થઈ જશે. પણ જ્યારે એ નેતાએ જાણ્યું કે એ મકાન છેવટે પડી ગયું તે એ નાકરના કુટુંબના એક સભ્ય ખાઈ મૂઓ ત્યારે તે પ્રામાણિક નેતાને વખતસર કામ ન કર્યાના ઊંડા ખેદ રહ્યો, અને પેલા વફાદાર નાકરને વિશ્વાસ તે। હુંમેશ માટે ગુમાવ્યેા. સરકાર વિશે જો લાકા એમ ધારતા થઈ જાય કે આ તંત્ર નવાખી છે તો એથી વધારે નુકસાન સરકારપક્ષે બીજી એકેય હાય શકે નહિ. અમલદારો પોતાના કુટુંબની સહેજ પણ મુશ્કેલી નિવારવા જરા પણ ઢીલ ન કરતા હોય અને પ્રજાની અગવડે જાણ્યા છતાં તેને નિવારવાની વિશેષ ડ્રિંકર સેવતા ન હોય તો પ્રજાને સ્વરાજ્યની દૃષ્ટિએ એમ કહેવાના હક્ક છે કે તેઓ પ્રજાદ્રોહી છે; કેમ કે પ્રજાનું અન્ન ખાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy