________________
સ્વરાજ્યને છઠે વર્ષે
[૧૬૭ પરરાજ્યના અમલ ઉપર નભતા અને પગદંડો જમાવી બેઠેલા એવા અનેક અમલદારેની અમલશાહી ઉપર પણ તરાપ પડી. આ બધું છતાં લેકે તે એમ જ. માને છે કે સ્વરાજ્ય આવ્યું છે. એક બાજુથી લોકેની એવી પણ ફરિયાદ છે કે બ્રિટિશ અમલ દરમ્યાન હતી તેવી તંત્રવ્યવસ્થા નથી, શાન્તિ નથી; અને બીજી બાજુથી લેકે સ્વરાજ્ય આવ્યું છે, પરરાજ્ય નથી એમ તે માને જ છે. ત્યારે લેકેના મનમાં સ્વરાજ્યને અર્થ જે હવે જોઈએ તે સ્પષ્ટ થાય છે અને તે અર્થ એટલે પિતાનાં દુઃખદરદ સરકાર સમક્ષ રજૂ કરવાની પૂરી અને નિર્ભય તક.
સ્વરાજ્યનો આ અર્થ એ તે એક પ્રાથમિક અર્થ છે, પણ તેમાંથી ફલિત થતા અને તેમાંથી સિદ્ધ કરવાના બીજા અનેક અર્થો, જે પ્રજાની દુઃખદરદની કહાણી પ્રગટ થયા પછી ક્રમે ક્રમે ધ્યાન ઉપર આવે છે તે અર્થે, પિકી એક અર્થ એ છે કે પ્રજાની અગવડે પૂરેપૂરી સમજવાની કોશિશ સરકારે કરવી. બીજો અર્થ એ છે કે એ કોશિશ ર્યા પછી ત્વરિત ગતિએ સરકારે એવાં સંગીન પગલાં ભરવાં કે જેથી પ્રજાની ફરિયાદો ઓછી થાય, વધે નહિ. ત્રીજો અર્થ એ છે કે સરકારે પ્રજાના સંપર્કમાં વધારે ને વધારે આવી તેનાં દિલ જીતવા અને તેને સોગ મેળવો. ચોથો અર્થ એ છે કે સરકારી તંત્રમાં કઈ પણ જાતને સડે ન હોય, લાંચરુશ્વત ને લાગવગનું પ્રમાણુ ન જ હોય યા નામમાત્રનું હેય. પાંચમે સૌથી મહત્વને અને છેલ્લે–અર્થ એ છે કે પ્રજાને એમ લાગવું જોઈએ કે સરકાર અમારી છે અને અમને નિચેવી અમારે માથે બેસનાર કોઈ નોકરશાહી નથી, પણ પિતાની અનિવાર્ય જરૂરિયાત પૂરતો બદલે લઈ અમારી જ સેવા અર્થે નીકવેલ એક સમજુ ને આપભોગી સેવકેનું બનેલું તંત્ર છે.
૧. સરકાર પ્રજાની અગવડે સમજવાની કોશિશ નથી કરતી એમ કઈ પણ કહી શકે નહિ. અલબત્ત, સરકારી તંત્ર ચલાવનાર જે સંખ્યાબંધ માણસ છે એ બધા સમાન એગ્યતાવાળા ને સરખી ધગશવાળા છે એમ કઈ કહેતું નથી; એવા હોવા જોઈએ એવી માગણી પ્રજાની રહે જ; સરકાર પણ ઈચ્છે જ. છતાં એ વસ્તુ સિદ્ધ થવાને વાર છે. સરકાર પ્રજાનાં દુઃખ દરદ જાણવાની કોશિશ કરે છે એ અર્થમાં તે સ્વરાજ્ય પ્રાપ્ત થયેલ જ છે, પણ એ કે શિશ નથી પૂર્ણ કે નથી એકધારી; એથી એટલે અંશે સ્વરાર જ્યને એ અર્થ પ્રજાને મન સિદ્ધ થયો નથી. અને એ બાબતમાં શું છાપાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org