________________
ટૂંક પરિચય આપણે ભાર ઉપાડવામાં ભાગીદાર બને. સુખલાલ દુકાને બેસવા લાગ્યા.
સુખલાલ ધીરે ધીરે વેપારી બનવા લાગ્યા. વેપાર ધમધોકાર ચાલકે હતે, તેમ કુટુંબનો વ્યવહાર પણ ધમધોકાર ચાલતો હતો. સગપણ, લગ્ન, કારજ કે એવો કોઈ પણ અવસર આવે એટલે પૈસે પાણીની જેમ વપરાય. પરોણાગતમાં પણ પાછું વાળીને ન જુએ. પંડિતજી કહે છે, આ બધું હું તે, એ બધું ગમતું પણ ખરું, છતાં મનમાં ઊંડે ઊંડે લાગ્યા કરતું કે, આ કંઈ બરાબર નથી થતું. ભણતરને ખીંટીએ મૂકવું ને આવા ખર્ચાળ રિવાજોમાં મહાલ્યા કરવું એથી કંઈ ભલીવાર ન થાય! જાણે છે કે અગમ્ય ભાવીના ભમકારા હતા.
ચૌદ વર્ષની ઉંમરે નવી મા ગુજરી ગયાં. સુખલાલનું સગપણ નાનપણમાં જ થયેલું, એટલે વિ. સં. ૧૯પરમાં, પંદર વર્ષની ઉંમરે, લગ્નની તૈયારીઓ થવા લાગી. પણ સાસરિયા પક્ષના કોઈ કારણસર એ વખતે લગ્ન મુલતવી રહ્યાં. ત્યારે તો કેણ જાણતું હતું કે એ લમે સદાને માટે મુલતવી રહેવાનાં હતાં?
બળિયાને ઉપદ્રવ વેપારમાં ભાગ લેતા સુખલાલ આખા કુટુંબની આશા બની ગયા. પણ મધુરી લાગતી આશા ઘણીવાર ઠગારી બનીને આદર્યા અધૂરાં રાખી દે છે. આ કુટુંબને પણ એમ જ થયું: વિ. સં. ૧૯૫૩માં, યૌવનમાં ડગ ભરતી ૧૬ વર્ષની વયે, સુખલાલ બળિયાના ભયંકર રોગમાં ઝડપાઈ ગયા. કાયાના મેમે આ વ્યાધિને પંજો ફરી વળ્યા. મરણ પળે પળે ડોકિયાં કરવા લાગ્યું. છેવટે જીવન અને મરણ વચ્ચે અનેક ઝોલાં ખાઈને સુખલાલ બીમારીને તે જીતી ગયા, પણ એમણે જોયું કે આંખેનાં તેજ ઓઝલ થઈ ગયાં હતાં ! આ જીત હાર કરતાંય વસમી થઈ પડી અને જીવન મરણ કરતાંય અકારું થઈ પડયું ! નેત્રના અંધકારે અંતરમાં નિરાશાને સૂનકાર ફેલાવી દીધો.
પણ દુઃખના સાચા ઓસડ સમા કેટલાક દિવસો ગયા અને સુખલાલને પિતાના અપાર દુઃખની કળ વળવા લાગી. આંખોમાંથી ચાલ્યાં ગયેલાં તેજ અંતરમાં પ્રસરવા માંડયાં; અને એ નિરાશા, એ સૂનકાર, એ બેચેની, કમળપત્ર ઉપરથી જળબિંદુ સરી પડે એમ, અંતરમાંથી સરી પડ્યાં. પછી તે ગમે તે થાય તોય ન હૈવું વાવ નો મંત્ર અજમાવીને, મહારથી કર્ણની જેમ મહાસત્ત તુ પૌરષ ના શસ્ત્રથી ભાગ્યની સામે ઝૂઝવાને એમણે સંકલ્પ કરી લીધે; અને વિપત્તિને ઉન્નતિનું વાહન બનાવી દીધી. વિરઃ લતુ ન રાશ્વત્ –મહાભારતકારે
૧૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org