________________
પંડિત સુખલાલજી
ચાર વર્ષની ઉંમરે માતાનો સ્વર્ગવાસ થયો, અને ઘરમાં નવી માતાનાં પગલાં થયાં. એમનું નામ જડીબાઈ એ જેટલાં રૂપાળાં એટલાં જ હસમુખાં, અને જેટલાં હેતાળ એટલા જ કામગરાં આદર્શ માતૃત્વની મૂર્તિ. પંડિતજી કહે છે, “અમે ઘણુ વર્ષે જાણ્યું કે આ અમારી નવી મા છે!'
કુટુંબને વ્યવહાર અને બાળકોને સાચવવાનું કામ મૂળજીકાકાનું. એ હતા તે નેકર પણ ભારે ખાનદાન. સુખલાલ ઉપર તે એમને સગા દીકરા જેટલું હેત. પંડિતજી એમને “પુરુષમાતા"ના લાગણીભર્યા નામે આજે પણ સંભારે છે.
નાનપણથી જ સુખલાલને રમતગમત તરફ ખૂબ પ્રેમ, અને સાહસિક તો એવા કે એક વાર તરતાં શીખવાનું મન થયું તે કોઈની પણ મદદ લીધા વગર સીધું કૂવામાં જ ઝંપલાવ્યું અને તરતાં શીખ્યા. ઘોડેસવારીને પણ એટલે જ શેખ. સરકસના સવારની જેમ ઘડાની પીઠ ઉપર ઊભા રહીને ઘડાને દેડાવવામાં એમને જ આવતી. એમ કરતાં પછાડે પણ ખાધેલી.
એક વાર બે મિત્ર સાથે સુખલાલ તળાવમાં નાહવા ગયેલા. વાતવાતમાં ત્રણે મિત્રો હેડે ચડડ્યા કે અહીંથી પાછલે પગે ચાલીને કેણું પહેલું પાળ વટાવી જાય છે ? બસ, સુખલાલે તે માંડયું ચાલવા, અને જઈ પડ્યા હાથલારિની વાડમાં. ઝેરી કાંટા સેંકાવાથી એ વાડમાં જ બેભાન બની ગયા. ત્યાં એમના ઓઘડકાકા આવીને ઘેર લઈ ગયા. ચાર કલાકે ભાનમાં આવીને સુખલાલે જોયું તે આખા શરીરે તેલના ગાડા ચાલ્યા જાય છે અને હજામ એક એક કરીને શરીરમાંથી કાંટા કાઢી રહ્યો છે ! પણ ઉંહકારે કરે એ બીજા.
પણ નવાઈની વાત તે એ હતી કે આવા રમતિયાળ અને સાહસપ્રિય સુખલાલ કામગરા, કહ્યાગરા અને જાતમહેનતુ પણ એટલા જ હતા. ઠાવકાઈ અને સુધડતા એમના દરેક કામમાં દેખાઈ આવે. કોઈને કંઈ પણ કામ હોય તે સુખલાલ તૈયાર. ભણવાની ચીવટ એટલી કે એમાં જરીકે આળસ ન કરે. બુદ્ધિ એવી ઝીણી કે આકરામાં આકરે વિષય પણ સહેજે સમજી જાય; અને સ્મરણશક્તિ પણ એટલી તીવ્ર કે જે કંઈ વાંચે તે જાણે હૈયામાં કોતરાઈ જાય. ચોપડીઓની સાચવણી પણ એવી કે આખું વર્ષ વાપરી હેય તેય જુઓ તો જાણે નવીનર | ગુજરાતી સાત ચોપડી પૂરી કરી, અને એમનું મન, મોટાભાઈની જેમ, અંગ્રેજી ભણવા તરફ દોડવા લાગ્યું. પણ વડીલેને એમ કે આવા હોંશિયાર છોકરાને ભણતર કરતાં વેપારની ધુંસરીએ જેડીએ તે થોડા વખતમાં જ
[૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org