________________
Illi).
25
એશિયાખંડ એટલે ધર્મપ્રવર્તક, તત્વચિંતકે અને સાધકોની જન્મભૂમિ; એશિયાખંડનું આવું ગૌરવ સ્થાપવામાં ભારતવર્ષે મેટે ફાળો આપ્યો છે.
પુરાણ કાળે ભગવાન રામચંદ્ર અને કર્મયોગી શ્રીકૃષ્ણ, ઇતિહાસકાળે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ અને આધુનિક યુગે મહાત્મા ગાંધી, યોગી શ્રી અરવિંદ અને સંત વિનોબા જેવા પુરુષોત્તમોને જન્મ આપીને યુગે યુગે ભારતવર્ષે, ધર્મચિંતનના ક્ષેત્રે, જગતનું ગુરુપદ સાચવ્યું છે. સમયના આ વિશાળ ફલક ઉપર ભારતવર્ષે કંઈ કેટલા તત્વચિંતકો, શાસ્ત્રપ્રણેતાઓ, સાધકે, યોગીઓ અને શાસ્ત્રવેત્તાઓની જગતને ભેટ આપી છે.
પંડિત સુખલાલજી ભારતવર્ષની આવી જ એક ધર્મ-દર્શન–શાસ્ત્રવેત્તા, જીવનસાધક વિદ્યાવિભૂતિ છે. સતત પુરુષાર્થપરાયણ, સત્યશોધક અને સદા અણનમ એવા આ પંડિતપુરુષે જ્ઞાનમાર્ગે પિતાના અંતરને અજવાળીને સચ્ચરિત્ર દ્વારા જીવનને નિર્મળ અને ઊર્ધ્વગામી બનાવવાને હમેશાં પ્રયત્ન કર્યો છે. સમતાભર્યું એમનું શીલ છે. સત્યમૂલક સમન્વયગામી એમની પ્રજ્ઞા છે; ત્યાગ, તિતિક્ષા અને સંયમને વરેલું એમનું જીવન છે.
જન્મ, કુટુંબ અને બાલ્યકાળ સંતો, સતીઓ, શરાઓ અને સાહસિકની ખાણસમી સૌરાષ્ટ્રની ભૂમિ તે જ પંડિતજીની જન્મભૂમિ. ઝાલાવાડ જિલ્લામાં સુરેન્દ્રનગરથી છ માઈલ પર આવેલું નાનું સરખું લીમલી ગામ એ પંડિતજીનું વતન. પંડિતજીને જન્મ વિ. સં. ૧૯૩ના માગશર સુદિ ૫, તા. ૮-૧૨-૧૮૮૦ ના રોજ થયેલું. એમના પિતાનું નામ સંઘજીભાઈ જ્ઞાતિ વિશાશ્રીમાળી જૈન વણિક અટક સંધવીની અને ગોત્ર ધાકડ (પર્કટ). દસમી સદીના કવિ ધનપાલનું પણ આ જ ગોત્ર હતું.
[૧૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org