SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ લેકતાને મુખ્ય પાશે [૧૬૧ અને નભાવવું હોય તો પ્રજાએ પિતાના વ્યક્તિહિતના વિચારે સમષ્ટિહિતમાં જ બદલવા જોઈએ. ત્યાર બાદ તે તિલક આવ્યા, ગાંધીજી આવ્યા અને ગાંધીજીએ પિતાની સહજ સૂઝથી અને કર્મણી વૃત્તિથી પ્રજાહિતને સ્પર્શતા એકેએક પ્રશ્ન ઉપર વ્યાપક દૃષ્ટિએ માત્ર પ્રકાશ જ નથી ફેંક્યો, પણ તેમણે એ દિશામાં પ્રત્યક્ષ પદાર્થપાઠ પણ આપે છે. એ જ તપશ્ચર્યાના મૂળમાંથી લેકતંત્રનું વૃક્ષ ઊગ્યું છે. આજે એની ચોમેર ઊજવણી થાય છે, એનાં ગુણગાન ગવાય છે, પણ અહીં જોવાનું એ છે કે શું એનો પાયે ખરેખર મૂડીવાદીઓની દૃષ્ટિ અને હિલચાલ, થોડાક અપવાદે બાદ કરતાં નાનામેટા અમલદારેની સાચી જવાબદારી પ્રત્યે બેપરવાઈ કામ કરવાની મંદતા અને અંગત લાભની મુખ્ય દષ્ટિ તેમ જ જુદા જુદા દરજજાના વ્યાપારીઓની માત્ર અંગત લાભની દષ્ટિએ વિદેશી વસ્તુઓના દલાલ બનવાની જાની કુટેવ અને છેલ્લે છેલ્લે કેળવણીના ક્ષેત્રમાં કામ કરતા તેમ જ લેકમત કેળવવા પો ચલાવતા એવા ભણેલગણેલ ગણાતા વર્ગની માત્ર અંગત લાભની દૃષ્ટિએ થતી મુખ્ય પ્રવૃત્તિ–એ બધું જ્યારે વિચારું છું અને તેના મળતા પુરાવાઓ યથાશક્તિ તપાસું છું ત્યારે મારી ટૂંકી અને સાદી સમજણને એમ ચેક્સ લાગે છે કે લકરાજ્ય સ્થપાયું છે, તેનું બંધારણ ઘડાયું છે, તેના ઉત્સવ ઊજવાય છે, તેનાં ગાણાં ગવાય છે, પણ ખાટલે મોટી ખોટકે નક્કર અને મજબૂત પાયે જ નથી. એટલે ઉદ્યોગપતિઓ, અમલદારે, મધ્યવર્તી દલાલે, સંસ્કારી અને ભણેલગણેલ ગણાતા ત્યાગીઓ, પંડિતે અને વિદ્વાન–એ બધા મુખ્યપણે લેકરાજ્યને ઉપકારક થાય ને તેના પાયા મજબૂત બને એવી સમષ્ટિ-હિતની દૃષ્ટિએ કામ કરતા નથી અને તેથી જ દાદાભાઈની કે ગાંધીજીની સ્વરાજ્ય મળ્યા પછી પ્રજાની આબાદીની ભવિષ્યવાણી હજી સાચી પડી નથી. મિ. બેવાન સાચું જ કહે છે કે સાચું લોકતંત્ર, ગરીબી અને સંપત્તિ એ ત્રણ સાથે સાથે રહી ન શકે. લોકતંત્ર, એના ખરા અર્થમાં હોય તે, સંપત્તિ અને ગરીબીને ભેદ ભૂંસાવો જ જોઈએ, અને જો એ ભેદ કાઈ પણ અર્થમાં ચાલુ રહે તે લોકતંત્ર એ માત્ર નામનું જ હોય. - મહાત્માજીએ અહિંસક રાજ્યતંત્રનું સ્વપ્ન જોયું. તેને પણ ખરે અર્થ એ જ છે કે જે એવું રાજ્યતંત્ર ઈષ્ટ હોય તે ગરીબી અને તવંગરી બનેનું સહ-અસ્તિત્વ પ્રજામાં રહી ન શકે. શ્રી. વિનોબા ભાવે ખરી રીતે એ જ સત્રની દિશામાં આગળ વધી રહ્યા છે અને ગીતાની સમત્વભાવના રાજ્યતંત્રમાં મૂર્ત થયેલી જેવા, ગરીબી તેમ જ તવંગરીનું મહદ્ અંતર મિટાવવા પ્રયત્ન કરી રહ્યા છે. –સંસ્કૃતિ જાન્યુઆરી ૫૪ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy