________________
સત્તાબળ અને સત્યબળ
[૨૪] ભારતે સ્વતંત્રતા મેળવી. તેના પાયામાં જે કઈ મુખ્ય બળે ભાગ ભજવ્યો હોય તે તે ભાગ સત્યબળને હતો એમ કોઈ પણ કહી શકશે. ગાંધીજી
સ્વતંત્રતા સંગ્રામના સેનાની ન હતી તે સ્વતંત્રતા પ્રાપ્તિનું પ્રેરકબળ કયું હત એ અત્યારે ન કહી શકાય. ગમે તે હે, પણ આજની સ્થિતિમાં એમ કહી શકાય કે ભારતે મુખ્યપણે સત્યને બળે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, એટલે જે એ બળ એના પાયામાં ન હોય તે એની સ્વતંત્રતા પિલી અને જે એ બળ ઉત્તરોત્તર પોષાતું કે વધતું ન જાય તે એટલે અંશે લાધેલ સ્વતંત્રતા પણ માત્ર નામની જ રહેવાની.
સત્યનું બળ એ એક બળ છે. જેણે જેણે જેટલે અંશે જીવનમાં સત્ય ઉતાર્યું હોય તેને તેને એના બળને તેટલે અંશે અનુભવ હોય જ છે; પણ સત્યનું બળ પ્રગટાવવું, તેને ટકાવી રાખવું અને વધારે ને વધારે પોષવું તેમ જ વ્યાપક બનાવવું એ કામ સહેલું નથી. સત્યબળનાં વિરેાધી ઘણું બળે છે. એ બધાં વિરોધી બળ સામે સત્યબળને ટકાવવું એ જ ખરી મુશ્કેલી છે. આ મુશ્કેલી સમજવા અને તેનાં વિરેધી બળોને માપવા માટે ટૂંકામાં જાણવું જરૂરી છે કે એવાં વિરોધી બળે ક્યાં ક્યાં છે અને તે કઈ રીતે સત્યબળની આડે આવે છે તેમ જ સ્વતંત્રતાના આત્માને હણે છે.
જડ ને ચેતન બધાંમાં હસ્તી તો હોય જ છે. હસ્તી એટલે અસ્તિત્વ. દરેક વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવવા મથે છે. જ્યારે અસ્તિત્વ ટકાવવા મથનાર ચેતન હોય ત્યારે એને એ મથન સત્તાબળ કહેવાય છે. અસ્તિત્વનું ભાન, તેને ટકાવવાની વૃત્તિ અને તે માટે જાણ્યે-અજાણે યોગ્ય કે અયોગ્ય થતો પ્રયત્ન એ બધું સત્તાબળમાં આવે જ છે. જ્યારે કોઈ જીવ કે વ્યક્તિ શરીરથી મજબૂત હોય ત્યારે તે શરીરને આશ્રય લઈ પિતા કરતાં નબળા ઉપર કાબૂ જમાવવા ઈચ્છે અને મથે છે. કેઈ વાણુશક્તિ ધરાવતા હોય તે તે એ દ્વારા પિતાનું સત્તાબળ અજમાવી બીજાથી ચઢિયાત થવા ઈચ્છે છે. સૌન્દર્ય, સંપત્તિ, વિદ્યા કે બીજાં તેવાં સાધનોમાં જે ચઢિયાત હોય તે તે જ સાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org