________________
લાતંત્રના મુખ્ય પાયા [૨૩]
પ્રજાસત્તાક દિવસ ઊજવવામાં આવે છે અને પ્રજાસત્તાક તંત્રને લક્ષી દેશના દરેક ભાગમાં વિચારવાન ત ંત્રી પોતપાતાના છાપાના ખાસ અંક પ્રસિદ્ધ કરે છે. તેવે વખતે પ્રજાસત્તાક કે લોકતંત્રને મુખ્ય અને સાચા પાયે શા છે, તેમ જ એ પાયા આપણા લોકતંત્રમાં કેટલે અંશે છે, એ જાણવું જરૂરી છે.
લોકતંત્રના ખીજા અનેક આધારો છે, પણ તેમાં જો કોઈ એક મુખ્ય અને મહત્ત્વનો આધાર દર્શાવવા હોય તે તે સરવાળે સમષ્ટિના હિત અને કલ્યાણને જ પોતાનુ હિત અને કલ્યાણ લેખી પ્રત્યેક રાષ્ટ્રઘટક ઉમરલાયક અને સમજદાર વ્યક્તિએ પેાતાના લાભ અને સ્વાને સમષ્ટિના હિત અને કલ્યાણમાં જતા કરવા તેમ જ પેાતાની શક્તિને સમષ્ટિના હિતમાં વાપરવી તે છે.
મુ
ને મહાવીરના સમયમાં ગણરાજ્યેા હતાં. તેમાં લોકતંત્રનુ જ તત્ત્વ હતું, પણ પ્રમાણમાં મોટા ભયે ઉપસ્થિત થતાં તે ગણત ંત્ર જોઇતુ સંગઠન અને ખળ સાધી ન શકયાં. એટલે ઉપસ્થિત થતા માટા ભયેા નિવારવાનું કામ અમુક શક્તિશાળી વ્યક્તિઓએ આગળ આવી કર્યું અને રિણામે વ્યક્તિસત્તાક રાજ્યના પાયા વિસ્તરતા ગયા. સમષ્ટિહિતની જે દૃષ્ટિ પ્રથમ મુખ્યપણે કામ કરતી તે વ્યક્તિ-રાજત ંત્રમાં ગૌણ ખની અને વૈયક્તિક હિત તેમ જ વૈયક્તિક ગૌરવનાં બીજો ફૂલતાંફાલતાં ગયાં. આ વાત રાજતંત્રપક્ષે થઈ. ખીજી ખાજી ધર્માંત ત્રપક્ષે પણ પલ્લું ધીરે ધીરે બદ્લાતું ગયું. રૈવેતિ અંદૈવેતિ અરાતિ ચરતો મળઃ એવી પ્રવૃત્તિપ્રધાન ભાવના ધમ ક્ષેત્રમાં કાંઈક ગૌણ થઈ. તેના સ્થાનમાં નિવૃત્તિપ્રધાન આધ્યાત્મિક ધર્મની ભાવના ધીરે ધીરે પ્રધાન બનવા લાગી.
વ્યક્તિતંત્ર-રાજ્યમાં દિવસે દિવસે સામૂહિક જવાબદારીનું તત્ત્વ પ્રજાસામાન્યમાં સરતું ગયું અને નિવૃત્તિપ્રધાન આધ્યાત્મિક ધર્મના પુરસ્કર્તા સંધા અને સંપ્રદાયેાના પ્રભાવને લીધે પ્રજાસામાન્યમાં નિવૃત્તિની સાચી સમજ અને તેના વિકાસને બદલે નિવૃત્તિને આભાસ કરાવનારી, પણ વસ્તુતઃ સમષ્ટિના હિતને બેજવાબદાર એવી એક પ્રકારની નિષ્ય વૃત્તિ જન્મી અને તેણે ધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org