SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૫૮ ] દર્શન અને ચિંતન બનાવવા પ્રેરે છે. તે મુદ્રાલેખ એ છે કે જે કોઈ વ્યક્તિ કે પ્રજા લાંબું, સુખી અને સંવાદી જીવન જીવવા ઈચછે તે તેણે આવશ્યક બધાં જ કર્તવ્યો કરતાં રહેવું જોઈએ; અર્થાત પુરુષાર્થહીનતામાં ધર્મ ભાવો ન જોઈએ. વ્યક્તિ અને સમષ્ટિના મધુર સંબંધો ટકી રહે અને વધે તે માટે એ મંત્ર સૂચવે છે કે સ્વકર્તવ્યના ફળને ઉપભગ ત્યાગપૂર્વક જ કર ઘટે, અને બીજાનાં શ્રમફળની લાલચના પાશથી છૂટવું ઘટે. ઈશાવાસ્યના એ મંત્રને ઉક્ત સાર ધર્મ, જાતિ, અધિકાર અને સંપત્તિઓના સ્વામીઓને સ્વરાજ્યપ્રાપ્તિને દિવસે એમ કહે છે કે તમે પોતપિતાની સત્તાના લેભે તરેહતરેહના દાવાઓ આગળ ન ધરે અને જનતાના હિતમાં જ પિતાનું હિત સમજે. નહિ તે, અંગ્રેજોના શાસન પહેલાં હતી તે કરતાં પણ વધારે મૂંડી અરાજક્તા ઊભી કરવાના કારણ બનશો અને વિદેશી આક્રમણને ફરી નોતરી પિતે જ પહેલાં ગુલામ બનશે. –પ્રબુદ્ધ જૈન ૧–૯–૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy