________________
-૧૫૮ ]
દર્શન અને ચિંતન બનાવવા પ્રેરે છે. તે મુદ્રાલેખ એ છે કે જે કોઈ વ્યક્તિ કે પ્રજા લાંબું, સુખી અને સંવાદી જીવન જીવવા ઈચછે તે તેણે આવશ્યક બધાં જ કર્તવ્યો કરતાં રહેવું જોઈએ; અર્થાત પુરુષાર્થહીનતામાં ધર્મ ભાવો ન જોઈએ. વ્યક્તિ અને સમષ્ટિના મધુર સંબંધો ટકી રહે અને વધે તે માટે એ મંત્ર સૂચવે છે કે સ્વકર્તવ્યના ફળને ઉપભગ ત્યાગપૂર્વક જ કર ઘટે, અને બીજાનાં શ્રમફળની લાલચના પાશથી છૂટવું ઘટે.
ઈશાવાસ્યના એ મંત્રને ઉક્ત સાર ધર્મ, જાતિ, અધિકાર અને સંપત્તિઓના સ્વામીઓને સ્વરાજ્યપ્રાપ્તિને દિવસે એમ કહે છે કે તમે પોતપિતાની સત્તાના લેભે તરેહતરેહના દાવાઓ આગળ ન ધરે અને જનતાના હિતમાં જ પિતાનું હિત સમજે. નહિ તે, અંગ્રેજોના શાસન પહેલાં હતી તે કરતાં પણ વધારે મૂંડી અરાજક્તા ઊભી કરવાના કારણ બનશો અને વિદેશી આક્રમણને ફરી નોતરી પિતે જ પહેલાં ગુલામ બનશે.
–પ્રબુદ્ધ જૈન ૧–૯–૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org