SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વતંત્રતાને અ [ ૧૫૭ શાસન સ્થપાયા પછી જ આપણે આખા દેશની અખંડતા અને એકરૂપતાની કલ્પના કરવા લાગ્યા. તે પહેલાં સાંસ્કૃતિક એકતા હતી એ ખરું, પણ રાજકીય એકતાના માત્ર સૂત્રપાત જ નહિ, વહીવટી અનુભવ સુદ્ધાં બ્રિટિશ શાસને જેવા કરાવ્યા છે તેવા ભૂતકાળમાં કયારે પણ ન હતા. નાની મેટી રાજસત્તા માટે અદરાઅંદર આખડતા સાંઢા જેવા જમીનદારા, દાકારી અને રાજા મહારાજાઓને અંગ્રેજી શાસને જ નાથ્યા અને પ્રજાજનને કાંઈક નિરાંત વળે એવી સ્થિતિ ઊભી કરી. બ્રિટિશ તંત્રે પાતાનું જ જીવન ટકાવવા તે વિકસાવવા આ દેશમાં જે જે કર્યું છે તેનાં અનિષ્ટ પરિણામો ઓછાં નથી,. છતાં તેણે જે લોકતંત્રનો પદા પાઠ આપ્યા છે અને જે કેળવણીનું દૃષ્ટિબિન્દુ પુરું પાડયુ છે, તેમ જ શિક્ષણ, વ્યાપાર અને પ્રવાસ માટે જે મેટા પાયા ઉપર પરદેશનાં દ્વારા ખુલ્લાં કર્યાં છે, અગર તે। જે જળ અને સ્થળનાં અધને તોડી ભારત અને ઇતર દેશાને વધારે ને વધારે નજીક આણ્યા છે તેની સરખામણીમાં બીજા અનિષ્ટ નગણ્ય જેવાં લાગે છે. બ્રિટિશતત્ર દરમ્યાન સાંપડેલ આ એક જ લાભ એવા છે કે જેમાં સ્વતંત્રતાનાં બધાં ખીજોને સમાવેશ થઈ જાય છે. અત્યારે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે ત્યારે બ્રિટિશ શાસન દરમ્યાન પેદા થયેલ અનિષ્ટ તત્ત્વા અને તે દરમ્યાન સાંપડેલ સિદ્ધિએ એ બન્ને આપણને વારસામાં મળે છે. હવે ઓગસ્ટની ૧૫મી પછી આપણે માટે સ્વતંત્રતાનો શો અર્થ હાઈ શકે એ વિચારવાનું કામ આપણું છે, નહિ કે અંગ્રેજોનુ ઉપરની દૃષ્ટિને અનુસરી સ્વરાજ્યપ્રાપ્તિના મંગલદિને સ્વતંત્રતાના અ સંક્ષેપમાં આ પ્રમાણે તારવી શકાય : (૧) ઇતિહાસને વફાદાર રહી વમાન પરિસ્થિતિનું તટસ્થ અવલોકન કરી ભાવિ માંગનિર્માણુની દૃષ્ટિ રાખી જે અનેકવિધ ફેરફારો કરવા પડે તે કરવામાં પૂર્ણ ઉલ્લાસ ને રસ અનુભવવા. (૨) જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રમાં જે દેષા અને ખામીએ જડ ઘાલી બેઠેલ છે એમ દેખાય તેનું નિર્મૂળ નિવારણ કરવામાં, હવે સ્વરાજ્ય મળ્યા પછી કાઈ બહારનું તત્ત્વ અંતરાયરૂપ કે આડખીલીરૂપ નથી એ વિશ્વાસે, દરેક પ્રકા રની ખાડા દૂર કરવા કટિબદ્ધ થવું. ( ૩) કાઈ પણ વ્યક્તિ કે પ્રજા પોતાને પ્રાપ્ત થયેલ સિદ્ધિ સાચવવાનું કામ અને નવી સિદ્ધિ મેળવવાનું કામ પૂરેપૂરી જવાબદારી ઉઠાવવાની અને તે માટે ખપી જવાની કતવ્યપરત ત્રતા પચાવ્યા સિવાય સાધી શકે નહિ, એવી સમજણ અંદરથી કેળવવી. 24 ઉપર સૂચવેલ છે તે અર્થો આપણને ‘ ઈશાવાસ્ય’ના મૂળ મંત્રને મુદ્રાલેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy