________________
સંપ્રદાય અને રાષ્ટ્રીય મહાસભા
[૧૫ આનો જવાબ શોધીશું તે બીજા વર્ગનું માનસ સમજાઈ જવાશે. વાત એ છે કે બીજા વર્ગને કાંઈક કરવું છે. તે પણ પ્રતિષ્ઠિત હોય તે કરવું છે. વળી તે પ્રતિષ્ઠા એવી છે કે જે અનુયાયી લેકના મનમાં વસેલી હેય અને એવી ન હોય કે જેથી અનુયાયીઓને છંછેડાવાનું કઈ પણ કારણ મળે. તેથી જ આ ઉદાર વર્ગ જૈન ધર્મમાં પ્રતિષ્ઠા પામેલ અહિંસા અને અનેકાંતનાં ગાણું ગાય છે. એ ગાણાં એવાં કે જેમાં કાંઈ પ્રત્યક્ષ કરવાપણું જ ન હોય. પહેલા વર્ગે એ ગાણ માટે ઉપાશ્રયેનું જ સ્થાન પસંદ કર્યું, જ્યારે બીજા વર્ગો ઉપાશ્રયે ઉપરાંત બીજા સ્થાને એવાં પસંદ કર્યા કે જ્યાં ગાણ ગાઈ શકાય અને છતાં કશું જ કરવાનું ન હોય. તત્વતઃ બીજે ઉદાર વર્ગ વધારે ભ્રામક છે, કારણ; તેને ઘણું ઉદાર તરીકે ઓળખે છે. નામદાર ગાયકવાડ જેવા ચકર બુદ્ધિના રાજપુરુષોને વાતે વિશ્વબંધુત્વની ભાવનાને મૂર્તિમાન કરવા મથતી રાષ્ટ્રીય મહાસભાની પ્રવૃત્તિમાં ભાગ લે એક યા બીજે કારણે ન પાલવે એ વાત સમજી શકાય, પણ ત્યાગ અને સહિષ્ણુતાનો ઝખે પહેરી બેઠેલ, તપસ્વી મનાતા જૈન સાધુવર્ગ વાસ્તે એ સમજવું મુશ્કેલ છે કે તેઓ જે વિશ્વબંધુત્વને વાસ્તવમાં જ જીવિત કરવા ઈચ્છે છે તે તેના પ્રવેગનું સામેનું પ્રત્યક્ષ ક્ષેત્ર છેડી તેઓ કેવળ વિશ્વબંધુત્વની શાબ્દિક રમત કરનાર પરિષદોની મૃગતૃષ્ણા પાછળ કાં દોડે છે? - હવે ત્રીજા વર્ગની વાત કરીએ. એ વર્ગ પ્રથમના બે વર્ગ કરતાં સાવ જુદો પડે છે, કારણ એમાં પહેલા વર્ગ જેવી સાંકડી દષ્ટિ અગર કટ્ટરતા નથી કે જેને લીધે તે ગમે તે પ્રવૃત્તિ સાથે માત્ર જૈન નામ જોઈને જ રાચે; અથવા માત્ર ક્રિયાકાંડમાં મૂઈિત થઈ સમાજ અને દેશની, પ્રત્યક્ષ સુધારવા
ગ્ય સ્થિતિ સામે આંખ મીંચી બેસી રહે. આ ત્રીજો વર્ગ ઉદાર મનનો છે, પણ બીજા વર્ગની ઉદારતા અને તેની ઉદારતા વચ્ચે મોટું અંતર છે. બીજો વર્ગ રૂઢિ અને ભયનાં બંધનો છોડ્યા સિવાય જ ઉદારતા સેવે છે, જેથી તેની ઉદારતા અણુને ટાંકણે-કામની વેળાએ—માત્ર દેખાવ પૂરતી રહી જાય છે, જ્યારે ત્રીજા વર્ગની ઉદારતા શુદ્ધ કર્તવ્ય અને સ્વચ્છ દષ્ટિમાંથી ઉત્પન્ન થયેલી છે. એને લીધે તેને માત્ર જૈન નામનો મેહ નથી, અગર તેની લેશે સૂગ પણું નથી. એ જ રીતે તે ઉદારતાની કે સુધારાની માત્ર શાબ્દિક રમતમાં ગંધાતો નથી. એ પ્રથમ પિતાની શકિતનું માપ કાઢે છે અને પછી જ કાંઈ કરવાની વાત કરે છે. તેને જ્યારે સ્વચ્છ દૃષ્ટિથી કાંઈ કર્તવ્ય સૂઝે છે ત્યારે તે કાઈની રીઝ કે ખીજની ચિંતામાં પડ્યા સિવાય તે કર્તવ્ય તરફ વળે છે. તે માત્ર ભૂતકાળમાં રાચતા નથી; માત્ર બીજાના પ્રયત્નની રાહ જોઈ બેસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org