________________
૧૫૦
દર્શન અને ચિતન
ધનુ નામ ન હોય તેા તે વસ્તુ, તે કવ્યુ કે તે પ્રવૃત્તિ ગમે તેટલી યોગ્ય હાવા છતાં તેને તે વ તિરસ્કારે નહિ તા છેવટે ઉવેખે તે જરૂર જ. આ વર્ગ કટ્ટર તરીકે જાણીતા છે. તેના મુખિયા સાધુઓ અને ગૃહસ્થા પણ જાણીતા છે. તે કટ્ટર અને રાષીલા હાઈ તેને વિશે વધારે નિર્દેશ કરવા કરતાં મૌન સેવવું જ યાગ્ય છે. ખીજો એક વર્ગ ઉદારને નામે ખપે છે. તે જાહેરમાં પેાતાના નામના કે જૈન ધર્મના નામને બહુ આગ્રહ સેવતા હાય એવા દેખાવ નથી કરતા. વળી કેળવણીના ક્ષેત્રમાં પણ ગૃહસ્થા વાસ્તે કાંઇક કરે છે. દેશ કે પરદેશમાં સાર્વજનિક ધર્મચર્ચા કે ધવિનિમયની વાતમાં રસ લઈ કાંઇક જૈન ધર્મોના મહત્ત્વ વાસ્તે ચેષ્ટા કરે છે. એ વર્ગ ઉદાર ગણાતા હાઈ તેને વિશે પ્રથમ કટ્ટર વર્ગના કરતાં વધારે સ્પષ્ટ વિચારવાનું પ્રાપ્ત થાય છે. એવી ભ્રમણામાં આપણે રહેવું ન જોઈ એ. આ ખીજો વર્ગ પહેલા વર્ગ કરતાં કાંઈ વધારે સારી મને દશા ધરાવે છે, પહેલા વર્ગ રાષીલા અને નીડર હેાઈ માને તેવુ કહી દે છે, જ્યારે ખીજો વર્ગ ખીકણુ હોઈ તેમ કહેતા નથી; પણ તે બંનેની મનોદશામાં બહુ ફેર નથી. જે પહેલા વમાં રાષ અને અભિમાન છે તો બીજામાં બીકણપણું અને કૃત્રિમતા છે. વાસ્તવિક ધર્મની પ્રતિષ્ઠા અને જૈન ધર્મને જીવંત બનાવવાની પ્રવૃતિથી બન્ને એક સરખા જ દૂર છે. દાખલા તરીકે, રાષ્ટ્રીય જીવનની પ્રવૃત્તિઓની કસોટી લા. પહેલા વર્ગ ખુલ્લ ખુલ્લા કહેશે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં જૈન ધર્મનું સ્થાન કયાં છે? એમ કહી તે પોતાના ભક્તાને તે તરફ ઢળતાં રોકશે. બીજો વગ ખુલ્લ` ખુલ્લા એમ નહિ કહે, પણ સાથે જ પોતાના કાઈ પણ ભક્તને રાષ્ટ્રીય જીવન તરફ વળતા જોઈ પ્રસન્ન નહિ જ થાય. પોતે ભાગ લેવાની વાત દૂર રહી, પણ કાઈ પાતાના ભક્ત રાષ્ટ્રીય પ્રવૃત્તિ તરફ ઢળ્યો હશે કે ઢળતા હશે તા તેના ઉત્સાહને તે “ જુને મરે વર્ણ વિષયે ન મરણ' એ નીતિ પ્રમાણે જરૂર માળા પાડી દેશે. ઉદાહરણ જોઈતું જ હાય તે તાજી છે. યુરોપમાં વિશ્વબંધુત્વની પરિષદો ભરાય છે. ત્યાં જૈન ધર્મ પોતાનુ સ્થાન પરાણે કરવા જાય છે, પણ તે ધમ જરા પણ મહેનત વિના વિશ્વમંત્વની પ્રત્યક્ષ પ્ર‰ત્તિમાં સ્થાન મેળવવાનું આ દેશમાં શકય છતાં અહી જ એમાં સ્થાન કેમ નથી મેળવતા ? રાષ્ટ્રીય મહાસભા જેવું વિશ્વબંધુત્વનું સુલભ અને ધરઆંગણાનું કા ક્ષેત્ર છેાડી લંડન ને અમેરિકામાંની એવી પરિષદમાં ક્રમ ભાગ લેવા મથે છે? દેશની પ્રત્યક્ષ વિશ્વબંધુત્વસાધક પ્રવૃત્તિઓમાં પોતાનાં ધન, તન અને મનનો ફાળા આપવા છેડી એ પરદેશમાં હજારા માઈલ દૂર ભરાતી પરિષદ્મમાં માત્ર બે-પાંચ મિનિટ ખેલવા જ પરાણે અપમાનપૂર્વક કાં કાં મારે છે?
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org