SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સંપ્રદાય અને રાષ્ટ્રીય મહાસભા [ ૧૪૯ ઉછાળી ફેંકી શકે છે કે નહિ? કૃષ્ણ તો કંસના મુષ્ટિક ને ચાર એ બે મહામલે મરદી નાખેલા, તમે વધારે નહિ તે ગુજરાતના એકાદ અખાડિયા તરુણને મરદી શકે છે કે નહિ ? કૃણે કંસને પટકી મારેલે, તે તમે તમારા કઈ વૈષ્ણવપંથના વિરોધી યવનને પટકી શકે છે કે નહિ ?” તર્ક જબરે હતો. પેલા મહારાજે મનમાં બડબડતાં કહ્યું કે આ નાસ્તિક બાઈમાં તે કલિયુગની બુદ્ધિ આવેલી છે. હું ધારું છું કે એ બાઈના જેવી કલિયુગી બુદ્ધિ ધરાવનાર આજનો કોઈ પણ સંપ્રદાયને કોઈ પણ યુવક પિતાપિતાને સંપ્રદાયનાં શાસ્ત્રોને સાંપ્રદાયિક દૃષ્ટિએ જોનાર અને તેવાં પ્રવચનો કરનાર પિતપિતાના સાંપ્રદાયિક ધર્મગુરુઓને એવો જ કાંઈક જવાબ આપશે. યુવક મુસલમાન હશે તો તે મેલવીને સંભળાવશે કે હિન્દુઓને કાફર કહે છે, પણ તમે પિતે પણ કાફર કેમ નહિ ? ગુલામ હોય તે કાફર. તમે પોતે ગુલામ જ છે. ગુલામીમાં રાખનાર કાફર ગણાતું હોય તે રાજ્યકર્તાઓને કાફર માને. પછી તેમની સેડમાં કાં ભરાઓ છો? યુવક હિન્દુ હશે તે તે વ્યાસને સંભળાવશે કે મહાભારતની વીરકથા અને ગીતાને કર્મવેગ સાચો છે તે અત્યારે જ્યાં વીરત્વ અને કર્મયોગની ખાસ જરૂર છે તે પ્રજાકીય રણગણથી કેમ ભાગે છે? યુવક જન હશે તે “ક્ષમા વીરથ મૂષણમ ”નો ઉપદેશ આપનાર જન ગુરુને કહેશે કે જે તમે વીર હે તે સાર્વજનિક કલ્યાણકારી અને છતાંય ઉશ્કેરણીના પ્રસંગમાં જઈ ક્ષમા કેમ સાચવી શકાય એવો પદાર્થપાઠ કાં નથી આપતા ? સાત વ્યસનના ત્યાગને સતત ઉપદેશ આપનાર તમે, જ્યાં સૌએ એવો ત્યાગ કરેલે જ છે ત્યાં જ માત્ર બેસી એવા ત્યાગની વાત કેમ કરે છે? પીઠાં ઉપર, જ્યાં દેશમાં લાખો કરેડ દારૂડિયાઓ બરબાદ થાય છે ત્યાં જઈ તમારે ઉપદેશ કેમ નથી વરસાવતા ? જ્યાં અનાચારજીવી સ્ત્રીઓ વસે છે, જ્યાં કતલખાનાઓ અને માંસવિક્રય ચાલે છે, ત્યાં જઈ કાંઈ કેમ નથી ઉજાળતા ? આ રીતે અત્યારને કળિયુગી યુવક કોઈ પણ ગુરુના ઉપદેશને કસ્યા વિના, તર્ક કર્યા વિના સાંભળવાનો કે માનવાને છે જ નહિ. હા, તે એક જ વસ્તુ માનશે અને તે એ કે ઉપદેશક જીવી બતાવતો હોય તે જ વસ્તુ. આપણે જોઈએ છીએ કે અત્યારે ઉપદેશ અને જીવન વચ્ચેના ભેદની દીવાલ તેવા પ્રયત્ન રાષ્ટ્રીય મહાસભાએ કર્યો છે અને કરી રહી છે. તેથી જ તમામ સંપ્રદાય વાસ્તે એ એક જ કાર્ય ક્ષેત્ર યોગ્ય છે. - જૈન સમાજમાં ત્રણ વર્ગ છેઃ એક તદ્દન સાંકડે. તેનું માનસ એવું છે કે તેને દરેક વસ્તુ, દરેક કર્તવ્ય ને પ્રવૃત્તિ સાથે પિતાનું કે પોતાના જન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy