________________
૧૪૮ ]
દર્શન અને ચિંતન દેખો ત્યાં સંપ્રદાયમાં એક જ વસ્તુ નજરે પડશે અને તે એ કે પ્રાણ વિનાના. કઈ ને કઈ ક્રિયાકાંડ, કઈ ને કઈ ધાર્મિક વ્યવહારને વળગી તેમાં જ ધર્મ કર્યાને સતિષ માનવો અને વળી વધારામાં તેને આધારે આજીવિકા પકવી.
આજ યુવક કાંઈક જીવન જીવવા ઈચ્છે છે. એને ળિયા કરતાં પ્રાણુની વધારે પડી છે. એને શુષ્ક વાદે કરતાં જીવતા સિદ્ધાંત વધારે ગમે. છે. એને પારલૌકિક મેક્ષની નિષ્ક્રિય વાત કરતાં ઐહિક મેક્ષની સક્રિય વાતે વધારે આકર્ષે છે. એને સાંકડી શેરીમાં ચાલવા કે દેડવામાં રસ નથી. એને ધર્મ કરવો હોય તે ધર્મ અને કર્મ કરવું હોય તે કર્મ, પણ જે કરવું હોય તે, ખુલ્લમખુલ્લાં કરવું છે. ધર્મની પ્રતિષ્ઠાને લાભ લઈ દંભના જાળામાં પડવાનું એ પસંદ કરતો નથી. એનું મન કઈ એક વેષ, કેઈ એક ક્રિયાકાંડ કે કોઈ એક ખાસ પ્રકારના વ્યવહાર માત્રમાં ગોંધાઈ રહેવા તૈયાર નથી. તેથી જ આજનું યુવક-માનસ પિતાનું અસ્તિત્વ અને વિકાસ માત્ર સાંપ્રદાયિક ભાવનામાં પિષી શકે તેમ છે જ નહિ. તેથી જૈન છે કે જૈનેતર હે, દરેક યુવક રાષ્ટ્રીય મહાસભાના વિશાળ પ્રાંગણ તરફ હસતે ચહેરે, કૂલતી છાતીએ, એક બીજાને ખભેખભો લગાડી જઈ રહ્યો છે.
જે આ ક્ષણે સર્વ સંપ્રદાય ચેતે તો નવા રૂપમાં પણ તેમના પિતાના સંપ્રદાયે જીવે, પોતાની નવી પેઢીનો આદર પિતા તરફ સાચવી રાખી શકે અને જેમ અત્યાર સંકીર્ણ જૈન સંપ્રદાય ઊકળી ઊઠ્યો છે તેમ નવયુવક તરક–ખરી રીતે નવયુવકને આકર્ષનાર રાષ્ટ્રીય મહાસભા તરફ–ઉપેક્ષા કે તિરસ્કારની દષ્ટિએ જે તે તેનું બેવડી રીતે મેત છે એમ કોઈને લાગ્યા વિના નહિ રહે.
નવભણતરવાળી કોઈ તરુણ એક ગેપાળમંદિરમાં કુતૂહલવશ જઈ ચડી.. સ્વામી દામોદરલાલજીને દર્શને જતી સેંકડો ભાવુક લલનાઓને જોઈએ તરણી પણ એમાં ભળી. ગેસ્વામીજી ભગતને એકે એકે લક્ષ,કરી કહેતા કે “માં માવચ મામાને ૨ રાધિમ્ –મને કૃષ્ણ સમજે અને પિતાને રાધિકા. બધી ભોળી ભક્તાણીઓ તે મહારાજશ્રીનું વચન કૃષ્ણવચન સમજી એ રીતે વરતતી આવેલી, પણ પેલી નવશિક્ષિત તરુણીમાં તર્કબુદ્ધિ જાગી. એ ચૂપ રહી ન શકી, નમ્રતાથી પણ નીડરતાથી બેલીઃ “મહારાજશ્રી, તમને કૃષ્ણ માનવામાં મને જરાયે વાંધો નથી, પણ હું જેવા માગું છું કે કૃષ્ણ કંસના હાથીને ઉછાળે તેમ તમે હાથી નહિ, આખલે નહિ તે એકાદ નાના ગધેડાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org