SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ' સંપ્રદાય અને રાષ્ટ્રીય મહાસભા નાના પથે જ નહિ, પણ પરસ્પર એકબીજાથી તદ્દન વિધી એવી ભાવનાવાળી મોટી મોટી જાતિઓ અને મોટા મોટા પથને પોતપોતાના ઐકાંતિક દૃષ્ટિબિંદુથી ખસેડી સર્વહિત સમન્વયરૂપ અનેકાંતદષ્ટિમાં સાંકળવાનું કામ કોગ્રેસ સિવાય બીજી કોઈ સંસ્થા કે બીજી કોઈ જૈન પિષાળ કરે છે કે કરી શકે છે, એમ કોઈ સાચે નિર્ભય જૈનાચાર્ય કહી શકશે ? અને જો એમ જ છે તે ધાર્મિક કહેવાતા જૈન સાંપ્રદાયિક ગૃહસ્થ અને જૈન સાધુઓની દષ્ટિએ પણ તેમના પિતાના જ અહિંસા અને અનેકાંતદષ્ટિના સિદ્ધાંતને અંશે પણ જીવતે કરી બતાવવા વાસ્તે નવીન પેઢીએ કોંગ્રેસને માર્ગે જ વળવું જોઈએ એ એક જ વિધાન ફલિત થાય છે. જન શાસ્ત્રમાં અનેક ઉદાત્ત સિદ્ધાંત હોવાની વાત ચોમેર ફેલાવાય છે. દાખલા તરીકે, દરેક સાધુ કે આચાર્ય એમ કહે કે મહાવીરે તે જાતપાતના ભેદ સિવાય પતિત અને દલિતને પણ ઉન્નત કરવાની વાત કહી છે, સ્ત્રીઓને પણ સમાન લેખવાની વાત ઉપદેશી છે; પણ જ્યારે આપણે એ જ ઉપદેશકોને પૂછીએ કે તમે જ ત્યારે એ સિદ્ધાંત પ્રમાણે કેમ નથી વર્તતા ? તે વખતે તેઓ એક જ જવાબ આપવાના કે કરૂઢિ બીજી રીતે ઘડાઈ ગઈ છે. એટલે એ પ્રમાણે વર્તવું કઠણ છે; વખત આવતાં રૂઢિ બદલાશે ત્યારે એ સિદ્ધાંત અમલમાં આવવાના જ. એ ઉપદેશકે રૂઢિ બદલાય ત્યારે કામ કરવાનું કહે છે. એવી સ્થિતિમાં એ રૂઢિ બદલી, તોડીને તેમને વાતે કાર્યક્ષેત્ર નિબંધ કરવાનું કામ કોગ્રેસ કરી રહી છે અને એ જ કારણે વિચારક નવી પેઢીને કોગ્રેસ સિવાય બીજો કોઈ સાંપ્રદાયિક કાર્યક્રમ સતિષી શકે એમ છે જ નહિ. હા, સંપ્રદાયમાં સંતોષ માની લેવા જેવી ઘણી વસ્તુઓ છે, જે તેને પસંદ કરે છે તેમાં ખુશીથી જોડાઈ રહે. થોડી વધારે કીમત આપી વધારે જાડું અને ખરબચડું ખાદીનું કપડું પહેરી કાંઈક પણ અહિંસાવૃત્તિ ન પિષવી હોય અને તેમ છતાં નળ ઉપર ચોવીસે કલાક ગરણું બાંધીને કે છવાખાનામાં બધી જીવાત ઠાલવીને અહિંસા પાળ્યાને સતિષ સેવ હોય તે સાંપ્રદાયિક ક્ષેત્ર સુંદર છે. જોકે તેને અહિંસાપ્રિય ધાર્મિક પણ માનશે અને બહુ કરવાપણું પણ નહિ રહે. દલિતોદ્ધાર વાસ્તે પ્રત્યક્ષ જાતે કાંઈ કર્યા સિવાય અગર તે વાતે નાણાંને ફાળો આપ્યા સિવાય પણ સંપ્રદાયમાં રહી મોટા ધાર્મિક મનાવા જેવી નકારશી, પૂજાપાઠ અને સંધ કાઢવાની ખર્ચાળ પ્રથાઓ છે, જેમાં રસ લેવાથી ધર્મ પાળે ગણાય, સંપ્રદાય પિષ્ય ગણાય અને છતાં સાચું તાત્ત્વિક કશું જ કરવું ન પડે. જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy