SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સોંપ્રદાયા અને રાષ્ટ્રીય મહાસભા [ ૧૪૩ આપ્યો કે અહિંસાથી નમાલાપણું આવે છે કે તેમાં અપરિમિત બળ પણ સમાયેલું છે ? વળી, એણે એ પણ સ્પષ્ટ કર્યું કે હિંસા એ માત્ર વીરત્વની જ પોષક હાત અગર થઈ શકે તો જન્મથી જ હિંસાપ્રિય રહેનારી જાતિ કણ કેમ દેખાય છે? આ જવાબ જો માત્ર શાસ્ત્રને આધારે અગર કલ્પનાના અળે અપાયા હાત તા તે એની ધછઆ ઉડાવાત, અને લાલાજી જેવા સામે કશું ન ચાલત. તિલકને પણ એ તપસ્વીએ જવાબ આપ્યો કે રાજનીતિને ઇતિહાસ ખટપટ અને અસત્યને ઇતિહાસ છે ખરા, પણ કાંઈ એ તિહાસ ત્યાંજ પૂરો થતા નથી. એનાં ધણાં પાનાં હજી લખાવાનાં ખાકી જ છે. તિલકે એ દલીલ માન્ય ન રાખી, પણ તિલકના ઉપર એટલી છાપ તે પડેલી હતી જ કે આ દલીલ કરનાર કાંઈ માત્ર ખેલનાર નથી. એ તો કહે તે કરી બતાવનાર છે, અને વળી તે સાચા છે; એટલે તિલકથી એ સામેના કથનને એકાએક ઉવેખી શકાય એમ તા હતું જ નહિં અને ઉવેખે તાયે પેલા સત્યપ્રાણ કથાં કાઈની દરકાર કરે એમ હતા ? અહિંસા ધર્માંના સમર્થ બચાવકારના વલણથી જૈનાને ઘેર લાપશીનાં આંધણ મુકાયાં. સૌ રાજી રાજી થયા. સાધુએ અને પાટપ્રિય આચાર્યાં સુધ્ધાં કહેવા લાગ્યા કે જુઓ, લાલાજીને કે જવાખ વાળ્યા છે? મહાવીરની અહિંસા ખરેખર ગાંધીજી જ સમજ્યા છે. સત્ય કરતાં અહિંસાને પ્રધાનપદ આપનાર જૈને વાસ્તે અહિંસાના બચાવ જ મુખ્ય સંતોષના વિષય હતા. એમને રાજ્યપ્રકરણમાં ચાણક્યનીતિ અનુસરાય કે આત્યંતિક સત્યનીતિ અનુસરાય તેની બહુ પડી ન હતી, પણ ગાંધીજીનું વલણ સ્પષ્ટ થયા પછી નામાં સામાન્ય રીતે સ્વધ વિજયની જેટલી ખુશાલી વ્યાપેલી તેટલી જ વૈદિક અને મુસલમાન સમાજના ધાર્મિક લોકેામાં તીવ્ર રાત્તિ પ્રગટેલી. વેદભક્ત આ સમાજીએ જ નહિ, મહાભારત ઉપનિષદ અને ગીતાના ભક્તા સુધ્ધામાં એવા ભાવ જન્મેલા કે ગાંધી તે જૈન લાગે છે. એ વૈદિક કે બ્રાહ્મણ ધના મ તિલક જેટલા જાણતા હાય તો અહિંસા અને સત્યની આટલી આત્યન્તિક અને એકાન્તિક હિમાયત ન કરત. કુરાનભક્ત મુસલમાને ચિડાય એ તો સહજ જ હતું. બધું ગમે તેમ હાય, પણ આ તબકકે, જ્યારે કે કૉંગ્રેસના કાર્યપ્રદેશમાં ગાંધીજીને હાથ લખાતા અને મજબૂત થતા હતા ત્યારે, સૌથી વધારેમાં વધારે અનુકૂળ આવે અને ધમ્ય ગણાય એવી રીતે કૉંગ્રેસનાં દ્વારા જૈતા વાસ્તે ખુલ્લાં થયાં હતાં. આ સાથે એ પણ કહી દેવુ જોઈએ કે જો હિંદુસ્તાનમાં જૈને જેટલા કે તેથીયે ઓછા પણ લાગવગવાળા બૌદ્ધ ગૃહસ્થા અને ભિખ્ખુ હોત તો તેમને વાસ્તે પણ કાંગ્રેસનાં દ્વારા ધ દષ્ટિએ ખુલ્લાં થયાં હોત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy