SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રમર્યાદા [ ૧૩૫ સમ્મતિમાં જ વધારે દેષ હેવાને સંભવ જૈન શાસ્ત્ર માને છે. જે બૌદ્ધો માંસને ધંધો કરવામાં પાપ માની તે ધંધે જાતે ન કરતાં માંસના માત્ર રાકને નિષ્પાપ માને છે તે બૌદ્ધોને જે જૈન શાસ્ત્ર એમ કહેતું હોય કે તમે ભલેને ધ ન કરે, પણ તમારા દ્વારા વપરાતા માંસને તૈયાર કરનાર લેકના પાપમાં તમે ભાગીદાર છો જ' તો શું તે જ નિષ્પક્ષ જૈન શાસ્ત્ર, કેવળ કુળધમ હોવાને કારણે, જૈનેને એ વાત કહેતાં અચકાશે ? નહિ, કદી જ નહિ. એ તે ખુલેખુલ્લું કહેવાનું કે કાં તે ભગ્ય ચીજોને ત્યાગ કરે અને ત્યાગ ન કરે તે જેમ તેને ઉત્પન્ન કરવા અને તેને વ્યાપાર કરવામાં પાપ લેખો છે તેમ બીજાઓ દ્વારા તૈયાર થયેલી અને બીજાઓ દ્વારા પૂરી પડાતી તે જ ચીજોના ભોગમાં પણ તેટલું જ પાપ લે. જૈન શાસ્ત્ર તમને પિતાની મર્યાદા જણાવશે કે “દોષ કે પાપને સંબંધ ભોગવૃત્તિ સાથે છે; માત્ર ચીજોના સંબંધ સાથે નથી.' જે જમાનામાં મજૂરી એ જ રેટી છે એવું સૂત્ર જગવ્યાપી થતું હશે તે જમાનામાં સમાજની અનિવાર્ય જરૂરિયાતવાળા અન્ન, વસ્ત્ર, રસ, મકાન આદિને જાતે ઉત્પન્ન કરવામાં અને તેને જાતે બંધ કરવામાં દોષ માનનાર કાં તો અવિચારી છે અને કાં તો ધર્મઘેલે છે એમ જ મનાશે. ઉપસંહાર ધારવા કરતાં શાસ્ત્રમર્યાદાને વિષય વધારે લાંબો થયે છે, પણ મને જ્યારે સ્પષ્ટ દેખાયું કે એને ટૂંકાવવામાં અસ્પષ્ટતા રહેશે એટલે થોડુંક લંબાણ કરવાની જરૂર પડી છે. આ લેખમાં મેં શાસ્ત્રોના આધારે જાણીને જ નથી ટાંક્યા, કેમ કે કોઈપણ વિષય પરત્વે અનુકૂળ અને પ્રતિકૂળ બને જાતનાં શાસ્ત્રવાક્યો મેળવી શકાય છે, અગર તે એક જ વાક્યમાંથી બે વિરોધી અર્થો ઘટાવી શકાય છે. મેં સામાન્ય રીતે બુદ્ધિગમ્ય થાય એવું જ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં મને જે કાંઈ અલ્પસ્વલ્પ જૈન શાસ્ત્રને પરિચય થયો છે અને ચાલુ જમાનાને અનુભવ મળે છે તે બન્નેની એકવાતા મનમાં રાખીને જ ઉપરની ચર્ચા કરી છે. છતાં મારા આ વિચાર વિશે વિચારવાની અને તેમાંથી નકામું ફેંકી દેવાની સૌને છૂટ છે. જે મને મારા વિચારમાં ભૂલ સમજાવશે તે વયમાં અને જાતિમાં ગમે તેવડે અને ગમે તે હોવા છતાં મારા આદરને પાત્ર અવશ્ય થશે. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, ૧૯૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy