________________
શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શું ફેર?
[૨૦] હિન્દુસ્તાનમાં શાસ્ત્રને ઉત્પન્ન કરનાર, તેને સાચવનાર, વિકસાવનાર, અને તે દ્વારા શક્ય હોય તેવી બધી પ્રવૃત્તિ કરનાર જે વર્ગ તે બ્રાહ્મણ તરીકે મુખ્યપણે જાણીતું છે. એ જ રીતે શસ્ત્ર રાખનાર, વાપરનાર જે વર્ગ તે મુખ્યપણે ક્ષત્રિય તરીકે જાણીતું છે. શરૂઆતમાં બ્રાહ્મણવર્ગનું કાર્ય શાસ્ત્ર દ્વારા લેકરક્ષા એટલે સમાજરક્ષા કરવાનું હતું, તેમ જ ક્ષત્રિયવર્ગનું કાર્ય શસ્ત્ર દ્વારા સમાજ રક્ષણ કરવાનું હતું. શાસ્ત્ર દ્વારા સમાજરક્ષણ અને શસ્ત્ર દ્વારા સમાજરક્ષણ એ બન્ને રક્ષણ છતાં તેનું સ્વરૂપ મૂળમાં જુદું હતું. શાસ્ત્રમૂર્તિ બ્રાહ્મણ જ્યારે કોઈને બચાવવા માગે ત્યારે તેના ઉપર શાસ્ત્રનો પ્રયોગ કરે; એટલે તેને હિતબુદ્ધિથી, ઉદારતાથી અને સાચા પ્રેમથી વસ્તુસ્થિતિ સમજાવે. આમ કરી તે પેલા આડે રસ્તે જનારને કદાચ બચાવી જ લે અને તેમ કરવામાં સફળ ન થાય તે પણ તે પિતાની જાતને તો ઉન્નત સ્થિતિમાં સાચવી રાખે જ. એટલે શાસ્ત્રનું કાર્ય મુખ્યપણે વક્તાને બચાવવાનું જ રહેતું, સાથે સાથે શ્રેતાને પણ બચાવી લેવાનું બની આવતું, અને જે કઈ વાર તેમ ન બને તે શ્રેતાનું અનિષ્ટ થાય તે ઉદ્દેશ તો ન જ રહે. શસ્ત્રમૂર્તિ ક્ષત્રિય જે કઈને આક્રમણથી પિતાની જાતને બચાવવાનો હોય તે તે શસ્ત્ર દ્વારા પેલા આક્રમણકારીને મારીને જ પોતાને બચાવી લે. એ જ રીતે બીજા કોઈ નિર્બળને બચાવવા જાય ત્યારે પણ પેલા બળવાન આક્રમણકારીને મારીને જ અગર હરાવીને જ નિર્બળને બચાવી શકે. એટલે શસ્ત્ર રક્ષણમાં એકની રક્ષા કરવા જતાં મેટેભાગે બીજાને નાશ સંભવે છે; એટલે કે સામાને ભેગે જ આત્મરક્ષા કે પરરક્ષા સંભવે છે. આટલા તફાવતને લીધે જ શાસ્ત્રને અર્થ એ કે શાસન કરી એટલે સમજાવીને કેઈને બચાવવાની શક્તિને જે ધરાવે તે શાસ્ત્ર અને બીજાને હણી એકને બચાવવાની શક્તિ જેમાં હોય તે શસ્ત્ર. આ તફાવત સાત્ત્વિક અને રાજસ પ્રકૃતિના તફાવતનું સૂચક છે. એ તફાવત હોવા છતાં બ્રાહ્મણ અને ક્ષત્રિય પ્રકૃતિ જ્યાં સુધી પિતાના સમાજરક્ષણના ધ્યેયને યથાર્થ પણે વફાદાર રહી ત્યાં સુધી તે બન્ને પ્રકૃતિએ પિતાની મર્યાદા પ્રમાણે નિ:સ્વાર્થ પણે કામ બજાવ્યા કર્યું અને શારુ તે શસ્ત્રને મોભે સચવાઈ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org