SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪] દર્શન અને ચિંતન ગુરુ હયાત હશે તો આવા સખત પ્રયાગ પહેલાં જ ગુરુસંસ્થાને તારાથી અચાવશે. જે વ્યક્તિ આંતરરાષ્ટ્રીય શાંતિપરિષદ જેવી પરિષદ્યમાં હાજર થઈ જગતનું સમાધાન થાય તેવી રીતે અહિંસાનું તત્ત્વ સમજાવી શકશે અગર તા પોતાના અહિંસાખળે તેવી પરિષદોના હિમાયતીઓને પોતાના ઉપાશ્રયમાં આકર્ષી શકશે તે જ હવે પછી ખરા જૈન ગુરુ થઈ શકશે. હવેનું——સાંકડું જગત પ્રથમની અલ્પતામાંથી મુક્ત થઈ વિશાળતામાં જાય છે. તે કાઈ નાત, જાત, સંપ્રદાય, પરંપરા, વેશ કે ભાષાની ખાસ પરવા કર્યા વિના જ માત્ર શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ત્યાગની રાહ જોતું ઊભું છે. એટલે જે અત્યારની ગુરુસંસ્થા આપણી શક્તિવર્ધક થવાને બદલે શક્તિબાધક જ થતી હાય ત તેમના અને જૈન સમાજના ભલા માટે પહેલામાં પહેલી તકે સમજદારે તેમની સાથે અસહકાર કરવા એ એક જ માગ રહે છે. જો આવેા ભાગ લેવાની પરવાનગી જૈન શાસ્ત્રમાંથી જ મેળવવાની હાય તાપણ તે સુલભ છે.. ગુલામીવૃત્તિ નવુ સરતી નથી અને જૂતું ફેંકતી કે સુધારતી પણ નથી. એ વૃત્તિ સાથે ભય અને લાલચની સેના હાય છે. જેને સદ્ગુણાની પ્રતિષ્ઠા કરવી હોય તેણે ગુલામીવૃત્તિના બુરખા ફેંકીને, છતાં પ્રેમ તથા નમ્રતા કાયમ રાખીને જ, વિચારવુ ઘટે. ધંધા પરત્વેના છેલ્લા પ્રશ્નના સબંધમાં જૈન શાસ્ત્રની મર્યાદા બહુ જ ટૂંકી અને ટચ છતાં સાચા ખુલાસા કરે છે, અને તે એ છે કે—જે ચીજને ઉપભાગ ધવિરુદ્ધ કે નીતિવિરુદ્ધ હોય તે ચીજના ધંધા પણ ધર્મ અને નીતિવિરુદ્ધ છે. જેમ માંસ અને મદ્ય જૈન પર પરા માટે વર્જ્ય લેખાયાં છે. તો તેના ધંધા પણ તેટલે જ નિષેધપાત્ર છે. અમુક ચીજને ધંધા સમાજ ન કરે તો તેણે તેના ઉપભાગ પણ છોડવા જ જોઈએ. આ જ કારણથી અન્ન, વસ્ત્ર અને વિવિધ વાહનાની મર્યાદિત ભાગતૃષ્ણા ધરાવનાર ભગવાનના મુખ્ય ઉપાસકા રાન્ન, વસ્ત્ર આદિ બધુ નિપજાવતા અને તેને ધંધા પણ કરતા. જે માણસ બીજાની કન્યાને પરણી ઘર બાંધે અને પોતાની કન્યાને ખીજા સાથે પરણાવવામાં ધનાશ જુએ એ કાં તો ગાંડા હાવા જોઈએ અને ડાહ્યો હાય તે। જૈન સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ભાગવતા ન જ હાવા જોઈએ. જે માણસ કાલસા, લાકડાં, ચામડાં અને યત્રા જથાબંધ વાપરે તે માણુ દેખીતી રીતે તેવા ધંધાના ત્યાગ કરતા હશે તે એને અથ એ જ કે તે ખીજાં પાસે તેવા ધધાઓ કરાવે છે. કરવામાં જ કરાવવામાં તેમ જ સમ્મતિ ઐકાંતિક કથન જૈન શાસ્ત્રમાં ? વધારે દ્વેષ છે. અને આપવામાં આ દોષ છે એવુ કાંઈ નથી. ' ધણીવાર કરવા કરતાં કરાવવા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy