________________
૧ર૬ ]
દર્શન અને ચિંતન
થઈ જ્યારે બહુ ઉપયોગી નથી રહેતું, અગર ઊલટે બાધક થાય છે, ત્યારે વળી નવા જ ભ્રષ્ટાઓ અને વિચારકે પ્રથમના થર ઉપર ચઢેલી એક વાર નવી અને હમણું જૂની થઈ ગયેલી વિચારણા અને ભાવનાઓ ઉપર નો થર ‘ચઢાવે છે. આ રીતે પરાપૂર્વથી ઘણી વાર એક જ શબ્દના ખોખામાં અનેક વિચારણાઓ અને ભાવનાઓના થર આપણે શાસ્ત્રમાર્ગમાં જોઈ શકીએ છીએ. નવા થરના પ્રવાહને જૂના થરની જગ્યા લેવા માટે જે સ્વતંત્ર શબદ સરજવા પડતા હતા અને અનુયાયીઓનું ક્ષેત્ર પણ જુદું જ મળતું હોત તો તે જૂના અને નવા વચ્ચે દૂધ ( વિરેધ)ને કદી જ અવકાશ ન રહેત; પણ કુદરતનો આભાર માનવો જોઈએ કે તેણે શબ્દ અને અનુયાયીઓનું ક્ષેત્ર છેક જ જુદું નથી રાખ્યું. તેથી જૂના લેકની મક્કમતા અને નવા આગંતુકની દઢતા વચ્ચે વિરોધ જામે છે અને કાળક્રમે એ વિધ વિકાસનું જ રૂપ પકડે છે. જેમ કે બૌદ્ધ મૂળ શાસ્ત્રોને લઈ વિચારીએ અગર વેદશાસ્ત્રને એકમ માની ચાલીએ તો પણ આ જ વસ્તુ આપણને દેખાશે. મંત્રવેદમાંના બ્રહ્મ, ઇન્દ્ર, વરુણ, ઋત, તપ, સત, અસત્, યજ વગેરે શબ્દો તથા તેની પાછબળની ભાવના અને ઉપાસના લે; અને ઉપનિષદોમાં દેખાતી એ જ શબ્દોમાં
આરોપાયેલી ભાવના તથા ઉપાસના લે. એટલું જ નહિ, પણ ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશમાં સ્પષ્ટપણે તરવરતી બ્રાહ્મણ, તપ, કર્મ, વર્ણ, વગેરે શબ્દ પાછળની ભાવના અને એ જ શબ્દો પાછળ રહેલી વેદકાલીન ભાવનાઓ લઈ બંનેને સરખા; વળી ગીતામાં સ્પષ્ટપણે દેખાતી યજ્ઞ, કર્મ, સંન્યાસ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, ગ, ભેગ વગેરે શબ્દો પાછળ રહેલી ભાવનાઓને વેદકાલીન અને ઉપનિષત્કાલીન એ જ શબ્દો પાછળ રહેલી ભાવના સાથે તેમ જ આ યુગમાં દેખાતી એ શબ્દો ઉપર આપાયેલી ભાવના સાથે સરખા તે છેલ્લાં પાંચ હજાર વર્ષમાં આર્યોના માનસમાં કેટલે ફેર પડ્યો છે એ સ્પષ્ટ જણાશે. આ ફેર કંઈ એકાએક પડ્યો નથી કે વગર વાંધે અને વગર વિધ વિકાસક્રમમાં સ્થાન પામ્યો નથી, પણ એ ફેર પડવામાં જેમ સમય લાગે છે તેમ એ ફેરવાળા થરને સ્થાન પામવામાં ઘણું અથડામણ પણ સહવી પડી છે. નવા વિચારક અને સર્જકે પિતાની ભાવનાના હથોડા વડે જૂના શબ્દોની એરણ ઉપર જૂના લેકેના માનસને ન ઘાટ આપે છે. હથેડા અને એરણ વચ્ચે માનસની ધાતુ દેશકાળાનુસારી ફેરફારવાળી ભાવનાઓના અને વિચારણાઓના નવનવા ઘાટ ધારણ કરે છે. આ નવા-જૂનાની કાળચક્કીનાં પૈડાંઓ નવનવું દળે જ જાય છે, અને મનુષ્યજાતિને જીવતી રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org