________________
શાસ્ત્રમોદા
વર્તમાન યુગ
આ જમાનામાં ઝપાટાબંધ ધણી ભાવનાઓ અને વિચારણાએ નવા જ રૂપમાં આપણી આગળ આવતી જાય છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં જ નહિ, પણ આધ્યાત્મિક ક્ષેત્ર સુધ્ધાંમાં વરાધ નવી ભાવનાએ પ્રકાશમાં આવતી જાય છે. એક બાજુએ ભાવનાઓને વિચારની કસોટીએ ચઢાવ્યા વિના જ તેને સ્વીકારનારા મમુદ્િવ હોય છે, જ્યારે ત્રીજી બાજુએ એ ભાવનાઓને વગર વિચારે ફેંકી દેવા કે ખાટી કહેવા જેવી જરઠ બુદ્ધિવાળા પણ વર્ગ નાનેતા નથી. આ સયોગામાં શું થવુ જોઈ એ અને શું થયું છે એ સમજાવવા ખાતર ઉપરના ચાર મુદ્દા ચર્ચવામાં આવ્યા છે. સકા અને રક્ષા મનુષ્યજાતિનાં નૈસર્ગિક કળા છે. એની હસ્તીને કુદરત પણ મિટાવી શકે નહિ. નવા-જૂના વચ્ચેનું ૢ એ સત્યના આવિર્ભાવનુ અને તેને ટકાવવાનુ અનિવાર્યું અંગ છે; એટલે તેથી પણ સત્યપ્રિય ગભરાય નહિ. શાસ્ત્ર એટલે શું ? અને આવું શાસ્ત્ર તે કયું? એ એ મુદ્દા દૃષ્ટિના વિકાસ માટે અથવા એમ કહે કે નવા-જૂનાની અથડામણીના દધિમથનમાંથી આપાઆપ તરી આવતા માખણને એળખવાની શક્તિને વિકસાવવા માટે ચર્ચ્યા છે. આ ચાર મુદ્દા તા અત્યારના યુગની વિચારણા અને ભાવનાએ સમજવા માટે માત્ર પ્રસ્તાવના જેવા છે. ત્યારે હવે ટૂંકમાં જોઈ એ, અને તે પણ જૈન સમાજને લઈ વિચારીએ, કે તેની સામે આજે કઈ કઈ રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક સમસ્યા ખડી થઈ છે અને તેના ઉકેલ શકય છે કે નહિ અને શકય હોય તે તે કઈ રીતે શકય છે?
૧. માત્ર કુળપરંપરાથી કહેવાતા જૈન માટે નહિ, પણ જેનામાં જૈનપણું ગુણથી ઘેાડુ ધણું આવ્યું હોય તે તેને માટે સુધ્ધાં પ્રશ્ન એ છે કે તેવા માણસ રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજકીય પ્રકરણમાં ભાગ લે યા નહિ અને લે તે કઈ રીતે લે ? કારણ કે, તેવા માણસને વળી રાષ્ટ્ર એ શું, અને રાજકીય પ્રકરણ એ શું ? રાષ્ટ્ર અને રાજપ્રકરણ તે સ્વા` તેમ જ સંકુચિત ભાવનાનુ કૂળ છે, અને ખરું જૈનત્વ એ તે એની પરની વસ્તુ છે; એટલે ગુણથી જે જૈન હોય તે રાષ્ટ્રીય કાર્યાં અને રાજકીય ચળવળામાં પડે કે નહિ ? એ અત્યારના જૈન સમાજના પેચીદો સવાલ છે—ગૂઢ પ્રશ્ન છે.
૨. લગ્નપ્રથાને લગતી રૂઢિઓ, નાતજાતને લગતી પ્રથાએ અને ઉદ્યોગધંધાની પાછળ રહેલી માન્યતા અને સ્ત્રી-પુરુષ વચ્ચેના સબધાની બાબતમાં આજકાલ જે વિચારો ખળપૂર્વક ઉદય પામી રહ્યા છે અને ચોમેર ધર કરી રહ્યા છે તેને જૈન શાસ્ત્રમાં ટેકા છે કે નહિ, અગર ખરા જૈનત્વ સાથે તે નવા વિચારાના
Jain Education International
[૧૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org