SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રમર્યાદા [ ૧૨૫ વસ્તુ સમજાવવી હોય તો એમ કહી શકાય કે મ`ત્રવેદના બ્રાહ્મણભાગ અને જૈમિનીયની મીમાંસા એ પ્રથમ પ્રકારના રક્ષકે છે, અને ઉપનિષદો, જૈન આગમા, બૌદ્ઘ પિટકા, ગીતા, સ્મૃતિ, અને ખીજા તેવા ગ્રંથા એ ખીજા પ્રકારના રક્ષકા છે; કારણ કે, બ્રાહ્મણુગ્રંથોને અને પૂર્વમીમાંસાને મંત્રવેદમાં ચાલી આવતી ભાવનાઓની વ્યવસ્થા જ કરવાની છે, તેના પ્રામાણ્યને વધારે મજ-બૂત કરી લોકોની તે ઉપરની શ્રદ્ધાને સાચવવાની જ છે. કાઈ પણ રીતે મ ંત્રવેદનું પ્રામાણ્ય સચવાઈ રહે એ એક જ ચિંતા બ્રાહ્મણકારો અને મીમાંસકાની છે. તે કટ્ટર રક્ષકાને મંત્રવેદમાં ઉમેરવા જેવું કાંઈ જ દેખાતું નથી; ઊલટુ’, ઉમેરવાના વિચાર જ તેમને ગભરાવી મૂકે છે. જ્યારે ઉપનિષદકારા, આગમકારો, પિટકકારો વગેરે મત્રવેદમાંથી મળેલા વારસાને પ્રમાર્જન કરવા જેવા, ઉમેરવા જેવા અને વિકસાવવા જેવા લેખે છે. આવી સ્થિતિમાં એક જ વારસાને મેળવનાર જુદા જુદા સમયના અને સમસમયના પ્રકૃતિભેાળા માણસામાં પક્ષાપક્ષી પડી જાય છે, અને કિલ્લેબંધી ઊભી થાય છે. નવા અને જૂના વચ્ચે ન્દ્ર ઉપરની કિલ્લેબંધીમાંથી સંપ્રદાય જન્મે છે અને એકબીજા વચ્ચે. વિચાર સંધ ખૂબ જામે છે. દેખીતી રીતે એ સંધ અન કારી લાગે છે, પણ એ સંધને પરિણામે જ સત્યને આવિર્ભાવ આગળ વધે છે. કાઈ પુષ્ટ વિચારક કે સમ સ્રષ્ટા એ જ સંધ માંથી જન્મ લે છે, અને તે. ચાલ્યાં આવતાં શાસ્ત્રીય સત્યામાં અને શાસ્ત્રીય ભાવનાઓમાં નવું પગલું ભરે છે. આ નવું પગલું પહેલાં તો લોકેાને ચમકાવી મૂકે છે, અને બધા જ લાર્ક કે લેાકેાના માટે ભાગ રૂઢ અને શ્રદ્ધાસ્પદ શબ્દો તેમ જ ભાવનાઓના હથિયાર વડે એ નવા વિચારક કે સર્જ કનું માથુ ફાડવા તૈયાર થાય છે. એક બાજુએ વિરાધીઓની પલટણ અને બીજી બાજુ ના આગન્તુક એકલો. વિરાધીઓ એને કહે છે કે તું જે કહેવા માગે છે, જે વિચાર દર્શાવે છે. તે આ જૂના શ્વિરીય શાસ્ત્રોમાં કયાં છે? ' વળી તે બિચારા કહે છે કે ‘જૂનાં શ્વિરીય શાસ્ત્રોના શબ્દો તા ઊલટું તારા નવા વિચારની વિરુદ્ધ જ જાય છે.’ : આ બિચારા શ્રદ્ઘાળુ છતાં એક આંખવાળા વિરાધીઓને પેલા આગંતુક કે વિચારક સ્રષ્ટા તેમના જ સંકુચિત શબ્દોમાંથી પોતાની વિચારણા અને ભાવના કાઢી બતાવે છે. આ રીતે નવા વિચારક અને ભ્રષ્ટા દ્વારા એક વખતના જૂના શબ્દો અદૃષ્ટિએ વિકસે છે અને નવી વિચારણા અને ભાવનાને નવા થર આવે છે અને વળી એ નવા થર વખત જતાં જૂતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy