________________
૧૨૪ ]
દર્શન અને ચિંતન દેશ, કાળ, અને સંગથી પરિમિત સત્યના આવિર્ભવની દષ્ટિએ એ બધાં જ શાસ્ત્રો છે. સત્યના સંપૂર્ણ અને નિરપેક્ષ આવિર્ભાવની દષ્ટિએ એ અશાસ્ત્રો છે, શાસ્ત્રાગની પાર ગયેલ સામર્થ્યની દૃષ્ટિએ એ બધાં શાસ્ત્ર કે અશાસ્ત્ર કાંઈ નથી. માની લીધેલ સાંપ્રદાયિક શાસ્ત્ર વિશેનું મિથ્યા અભિમાન ગાળવા માટે આટલી જ સમજ બસ છે. જે મિથ્યા અભિમાન ગળે તો મેહનું બંધન ટળતાં જ બધા મહાન પુરુષોનાં ખંડ સમાં અખંડ સત્યનું દર્શન થાય અને બધી જ વિચારસરણીની નદીઓ પિતપોતાની ઢબે એક જ મહાસત્યના સમુદ્રમાં મળે છે એવી પ્રતીતિ થાય. આ પ્રતીતિ કરાવવી એ જ શાસ્ત્રના પ્રધાન ઉદેશ છે. સર્જકે અને રક્ષકે
શાએ કેટલાકને હાથે સરજાય છે અને કેટલાકને હાથે સચવાય છેરક્ષાય છે, અને બીજા કેટલાકને હાથે સચવાવા ઉપરાંત તેમાં ઉમેરણ પણ થાય છે. રક્ષક, સુધારક અને પુરવણીકાર કરતાં સર્જકે હંમેશાં જ ઓછી હોય છે. સર્જકેમાં પણ બધા સમાન જ કેટિના હોય એમ ધારવું એ મનુષ્યપ્રકૃતિનું અજ્ઞાન છે. રક્ષકોના મુખ્ય બે ભાગ પડે છે : પહેલો ભાગ સર્જકની કૃતિને આજન્મ વફાદાર રહી તેનો આશય સમજવાની, તેને સ્પષ્ટ કરવાની અને તેનો પ્રચાર કરવાની કોશિશ કરે છે. તે એટલા બધા ભક્તિસંપન્ન હોય છે કે તેને મન પિતાના પૂજ્ય અષ્ટાના અનુભવમાં કાંઈ જ સુધારવા જેવું કે ફેરફાર કરવા જેવું નથી લાગતું. તેથી તે પિતાના પૂજ્ય ભ્રષ્ટાનાં વાક્યોને અક્ષરશઃ વળગી તેમાંથી જ બધું ફલિત કરવાનો પ્રયત્ન કરે છે, અને દુનિયા તરફ જોવાની બીજી આંખ બંધ કરી દે છે. જ્યારે રક્ષકાને બીજો ભાગ ભક્તિસંપન્ન હોવા ઉપરાંત દષ્ટિસંપન્ન પણ હોય છે. તેથી તે પોતાના પૂજ્ય સ્રષ્ટાની કૃતિને અનુસરવા છતાં તેને અક્ષરશઃ વળગી રહેતો નથી. ઊલટું, તેમાં તે જે જે ઊણપ જુએ છે, અગર પુરવણની આવશ્યકતા સમજે છે, તેને પોતાની શક્તિ પ્રમાણે દૂર કરી કે પૂર્ણ કરીને જ તે શાસ્ત્રને પ્રચાર કરે છે. આ રીતે જ રક્ષકોના પહેલા ભાગ દ્વારા શાસ્ત્રો પ્રમાર્જન તેમ જ પુરવણું ન પામવા છતાં એકદેશીય ઊંડાણ કેળવે છે અને રક્ષકેના બીજા ભાગ દ્વારા એ શાસ્ત્રો પ્રમાજન તેમ જ પુરવણી મેળવવાને લીધે વિશાળતા પામે છે. કઈ પણ અષ્ટાના શાસ્ત્રસાહિત્યને ઇતિહાસ તપાસીશું તે ઉપરની વાતની ખાતરી થયા વિના નહિ રહે. અહીં દાખલા તરીકે આર્યઋષિઓના અમુક ભાગને મૂળ સર્જન માની પ્રસ્તુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org