SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શાયમર્યાદા [ ૧૨૩ સત્ય પ્રકટાવ્યું હોય ? આપણે સહેજ પણ વિચારીશું તો માલૂમ પડશે કે કઈ પણ સત્યશોધક અગર શાસ્ત્રપ્રણેતા પિતાને મળેલ વારસાની ભૂમિકા ઉપર ઊભે રહીને જ પિતાની દૃષ્ટિ પ્રમાણે અગર તો પિતાની પરિસ્થિતિને બંધબેસે એવી રીતે, સત્યને આવિર્ભાવ કરવા મથે છે, અને તેમ કરી સત્યના આવિર્ભાવને વિકસાવે છે. આ વિચારસરણી જે ફેંકી દેવા જેવી ન. હેય તે એમ કહેવું જોઈએ કે કોઈ પણ એક વિષયનું શાસ્ત્ર એટલે તે. વિષયમાં શોધ ચલાવેલ, શોધ ચલાવતા કે શોધ ચલાવનાર વ્યક્તિઓની ક્રમિક અને પ્રકારભેદવાળી પ્રતીતિઓને સરવાળે. આ પ્રતીતિઓ જે સંગમાં અને જે ક્રમે જન્મી હોય ને સંગે પ્રમાણે તે જ ક્રમે ગોઠવી લઈએ તે એ તે વિષયનું સળંગ શાસ્ત્ર બને અને એ બધી જ સૈકાલિક પ્રતીતિઓ કે આવિર્ભાવોમાંથી છૂટા છૂટા મણકા લઈ લઈએ તો તે અખંડ શાસ્ત્ર ન કહેવાય. છતાં તેને શાસ્ત્ર કહેવું હોય તે એટલા જ અર્થમાં કહેવું જોઈએ કે તે પ્રતીતિને મણુંકે પણ એક અખંડ શાસ્ત્રનો અંશ છે, પણ એવા કોઈ અંશને જે સંપૂર્ણતાનું નામ આપવામાં આવે છે તે ખોટું જ છે. જે આ મુદ્દામાં વાંધો લેવા જેવું ન હાય-તે નથી જ લેતે–તો આપણે નિખાલસ દિલથી કબૂલ કરવું જોઈએ કે માત્ર વેદ, માત્ર ઉપનિષદો, માત્ર જૈન આગમે, માત્ર બૌદ્ધ પિટકે, માત્ર અવેસ્તા, માત્ર બાઈબલ, માત્ર પુરાણ, માત્ર કુરાન કે માત્ર તે તે સ્મૃતિઓ એ પિતપોતાના વિષય પરત્વે એકલાં જ અને સંપૂર્ણ શાસ્ત્ર નથી; પણ એ બધાં જ આધ્યાત્મિક વિષય પર, ભૌતિક વિષય પરત્વે, અગર તે સામાજિક વિષય પર એક અખંડ સૈકાલિક શાસ્ત્રનાં ક્રમિક તેમ જ પ્રકારભેદવાળા સત્યના આવિર્ભાવનાં સૂચક અથવા તો અખંડ સત્યની દેશ, કાળ, અને પ્રકૃતિભેદ પ્રમાણે જુદીજુદી બાજુઓ રજૂ કરતાં મણકા-શાસ્ત્રો છે. આ વાત કોઈ પણ વિષયના ઐતિહાસિક અને તુલનાત્મક અભ્યાસીને સમજવી તદ્દન સહેલી છે. જો આ સમજ આપણું મનમાં ઊતરે–અને ઉતારવાની જરૂર તો છે જ–તો આપણે પિતાની વાતને વળગી રહેવા છતાં બીજાને અન્યાય કરતા બચી જઈએ, અને તેમ કરી બીજાને પણ અન્યાયમાં ઊતરવાની પરિસ્થિતિથી બચાવી લઈએ. પિતાના માની લીધેલ સત્યને બરાબર વફાદાર રહેવા માટે જરૂરનું એ છે કે તેની કિંમત હોય તેથી વધારે આંકી અંધશ્રદ્ધા ન ખીલવવી અને ઓછી આંકી નાસ્તિતા ન દાખવવી. આમ કરવામાં આવે તે જણાયા વિના ન જે રહે કે અમુક વિષય પરત્વેના સત્યશોધકોનાં મંથને કાં તે બધાં જ શાસ્ત્રો. છે, કાં તે બધાં જ અશાસ્ત્રો છે, અને કાં તો એ કાંઈ જ નથી. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy