________________
૧૨૨ ]
દન અને ચિંતા
એ જ સવાલ થાય છે. આને ઉત્તર સરળ પણ છે અને કઠણ પણ છે. જો ઉત્તરની પાછળ રહેલ વિચારમાં બંધન, ભય કે લાલચ ન હેાય તે ઉત્તર સરળ છે, અને જો તે હાય તો ઉત્તર કઠણ પણ છે. વાત એવી છે કે માણસના સ્વભાવ જિજ્ઞાસુ પણ છે અને શ્રદ્ધાળુ પણ છે. જિજ્ઞાસા એને વિશાળતામાં લઈ જાય છે અને શ્રદ્ધા એને મક્કમપણું અપે છે. જિજ્ઞાસા અને શ્રદ્ધાની સાથે જો કેાઈ આસુરી વૃત્તિ ભળી જાય તો તે માણસને મર્યાંદિત ક્ષેત્રમાં આંધી રાખી તેમાં જ સત્ય—નહિ નહિ, પૂર્ણ સત્યજોવાની ફરજ પાડે છે. આનું પરિણામ એ આવે છે કે માણસ કાઈ એક જ વાકય અગર કાઈ એક જ ગ્રંથને અગર કાઈ એક જ પરંપરાના ગ્રંથસમૂહને છેવટતુ શાસ્ત્ર માની લે છે અને તેમાં જ પૂર્ણ સત્ય છે, એવી માન્યતા ધરાવતા થઈ જાય છે. આમ થવાથી માણસ માણસ વચ્ચે, સમૂહ સમૂહ વચ્ચે અને સંપ્રદાય સૌંપ્રદાય વચ્ચે શાસ્ત્રની સત્યતા--અસત્યતાની ખાખતમાં અગર તેા શાસ્ત્રની શ્રેષ્ડતાના તરતમભાવની ખખતમાં મોટા વિખવાદ શરૂ થાય છે. દરેક જણ પોતે માનેલ શાસ્ત્ર સિવાયનાં ખીજા શાસ્ત્રોને ખાટાં અગર અપૂર્ણ સત્ય જણાવનારાં કહેવા મડે છે અને તેમ કરી સામા પ્રતિસ્પર્ધી ને પેાતાનાં શાસ્ત્ર વિષે તેમ કહેવાને જાણે-અજાણે નાતરે છે. આ તાાની વાતાવરણમાં અને સાંકડી મનેત્તિમાં એ તે વિચારાયું જ રહી જાય છે કે ત્યારે શું બધાં જ શાસ્ત્રો ખાટાં કે બધાં જ શાસ્ત્રો સાચાં કે બધાં જ કાંઈ નહિ.
આ થઈ ઉત્તર આપવાની કાિઈની આજી. પરંતુ જ્યારે આપણે ભય, લાલચ અને સંકુચિતતાના બંધનકારક વાતાવરણમાંથી છૂટા થઈ વિચારીએ ત્યારે ઉક્ત પ્રશ્નના નિવેડા સહેલાઈથી આવી જાવ છે; અને તે એ છે કે સત્ય એકને અખંડ હાવા છતાં તેના આવિર્ભાવ (તેનું ભાન ) કાળક્રમથી અને પ્રકારભેદથી થાય છે. સત્યનું ભાન જો કાળક્રમ વિના અને પ્રકારભેદ વિના થઈ શકતું હોત તે અત્યાર અગાઉ કચારનુંયે સત્યશોધનનું કામ પતી ગયું હાત, અને એ દિશામાં કાઈ ને કાંઈ કહેવાપણું કે કરવાપણું. ભાગ્યે જ રહ્યું હાત. સત્યને આવિર્ભાવ કરનારા જે જે મહાન પુરુષા પૃથ્વીના પટ ઉપર થઈ ગયા છે તેમને પણ તેમના પહેલાં થઈ ગયેલા અમુક સત્યશેાધકાની શોધને વારસા મળેલા જ હતા. એવા કાઈ પણ મહાન પુરુષ તમે બતાવી શકશે કે જેને પેાતાની સત્યની શોધમાં અને સત્યના આવિર્ભાવમાં પેાતાના પૂવી અને સમસમયવર્તી ખીજા તેવા શેાધકની શોધના થાડાં પણ વારસા ન જ મળ્યો હોય, અને માત્ર તેણેજ એકાએક અપૂર્વ પણે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org