________________
શાસ્ત્રમર્યાદા
[૧૯] શાસ્ત્ર એટલે શું?
- જે શિક્ષણ આપે એટલે કે જે કોઈ વિષયની માહિતી અને અનુભવ આપે છે, તે વિષયનું શાસ્ત્ર. માહિતી અને અનુભવ જેટજેટલા પ્રમાણમાં ઊંડા તથા વિશાળ તેટકેટલા પ્રમાણમાં તે શાસ્ત્ર તે વિષય પરત્વે વધારે મહત્વનું. આમ મહત્વને આધાર ઊંડાણ અને વિશાળતા પર હોવા છતાં તે શાસ્ત્રની પ્રતિષ્ઠાને આધારે તે તેની યથાર્થતા ઉપર જ છે. અમુક શાસ્ત્રમાં માહિતી ખૂબ હોય, ઊંડી હેય, અનુભવ વિશાળ હોય છતાં તેમાં જે દૃષ્ટિદેષ કે બીજી ભ્રાંતિ હોય તો તે શાસ્ત્ર કરતાં તે જ વિષયનું, થેડી પણ યથાર્થ માહિતી આપનાર અને સત્ય અનુભવ પ્રકટ કરનાર, બીજું શાસ્ત્ર વધારે મહત્ત્વનું છે, અને તેની જ ખરી પ્રતિષ્ઠા બંધાય છે. શાસ્ત્ર શબ્દમાં શારૂ અને એવા બે શબ્દો છે. શબ્દોમાંથી અર્થ ઘટાવવાની
અતિજની રીતને આગ્રહ છોડવો ન જ હોય છે એમ કહેવું જોઈએ કે શરુ એ શબ્દ માહિતી અને અનુભવ પૂરા પાડવાને ભાવ સૂચવે છે, અને શબ્દ ત્રાણશક્તિને ભાવ સૂચવે છે. શાસ્ત્રની ત્રાણુશક્તિ એટલે આડે રસ્તે જતાં અટકાવી માણસને બચાવી લેવું અને તેની શક્તિને સાચે રસ્તે દેરવી. આવી ત્રાણશક્તિ માહિતી કે અનુભવની વિશાળતા ઉપર અગર તે ઊંડાણ ઉપર અવલંબિત નથી, પણ એ માત્ર સત્ય ઉપર અવલંબિત છે. તેથી એકંદર રીતે વિચારતાં ચેમ્બુ એ ફલિત થાય છે કે જે કઈ પણ વિષયની સાચી માહિતી અને સાચે અનુભવ પૂરો પાડે તે જ શાસ્ત્ર કહેવાયું જોઈએ. આવું શાસ્ત્ર તે કયું
ઉપર કહેલ વ્યાખ્યા પ્રમાણે તે કોઈને શાસ્ત્ર કહેવું એ જ મુશ્કેલ છે; કારણ કે, કોઈ પણ એક શાસ્ત્ર અત્યાર સુધીની દુનિયામાં એવું નથી કર્યું કે જેની માહિતી અને અનુભવ કોઈ પણ રીતે ફેરફાર પામે તેવાં ન જ હોય કે જેની વિરુદ્ધ કોઈને કદીયે કહેવાને પ્રસંગ જ ન આવે. ત્યારે ઉપરની વ્યાખ્યા પ્રમાણે જેને શાસ્ત્ર કહી શકાય એવું કંઈ પણ છે કે નહિ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org