________________
જૈન સમાજઃ હિંદુ સમાજ
[ ૧૧૩ અને બહુમતી છતાં બુદ્ધિપ્રાગભ્ય અને એકધારી વફાદારીને પરિણામે બ્રાહ્મણોએ વિરોધીઓ ઉપર ઊલટો પ્રભાવ પાડ્યો. એટલું જ નહિ, પણ ઘણું એને બ્રાહ્મણયમાનવૈદિક બનાવી દીધા. અત્યારે એ જાણવું પણ અઘરું છે કે વૈષ્ણવો, શ વગેરે આગમવાદીઓ બધા મૂળે વેદવિધી છે. હવે જેનોએ એ જોવું રહ્યું કે તેમના કેટલાક મૌલિક સિદ્ધાંત, તેમને કોઈ પ્રયત્ન વિના, કેવા સફળ થયા છે? દાખલા તરીકે લેકભાષાનો સિદ્ધાંત, આત્મૌપમ્ય અને માનવ-સમાનતાને સિદ્ધાંત, અહિંસા અને અપરિગ્રહને સિદ્ધાંત, અર્ધમાગધી કે પ્રાકૃત સંસ્કૃત પાસે નમતું આપ્યું પણ એની પાછળ લોકભાષાનો જે મૂદ્દો હતે તે છેવટે મધ્યસ્થ સરકારે મોટી બહુમતીથી સત્કાર્યો અને હિંદીને રાષ્ટ્રભાષા માની. આ લેકભાષાના બુદ્ધ-મહાવીરના સિદ્ધાંતનો જ વિજય છે. અલબત્ત, એ જ રીતે અસ્પૃશ્યતાનિવારણને પ્રયત્ન સફળ થયે છે, અને માનવ સમાનતાને સિદ્ધાંત વિજયી થયે છે. અસાંપ્રદાયિક રાજ્યકારભારની માન્યતા સ્વીકાર પામી એમાં આત્મૌપજ્યના સિદ્ધાંતને પૂરે વિજય છે. અનેકાંતવાદનો વિજય નવા યુગમાં નવી રીતે થયો છે. જે વાત અસલમાં સત્ય હોય તે ક્યારેક ને ક્યારેક તે ફાવે જ છે.
હવે જેનોએ આ વસ્તુ સમજી, હિંદુ ધર્મના અને હિંદુ સમાજના નામે થતી બ્રાહ્મણીય હિલચાલને પૂર્ણ બળથી વિરોધ કરવા ખાતર, બીજા પિતાને પડખે રહી શકે એવા વૈષ્ણવ આદિ અનેક પંથના બળ એકત્ર કરવા જોઈએ અને
જ્યાં જ્યાં વૈદિક કે બ્રાહ્મણીય હિલચાલ મૂળમાં અસત્ય અગર માનવતાઘાતક હોય ત્યાં ત્યાં બધાં સંગઠિત બળોએ તેનો સામનો કરી પુરુષાર્થ બતાવો જોઈએ. હજી પણ સમજદાર જૈને જ્ઞાન અને અસ્મિતાસંપન્ન થઈ, પૂરા ઐતિહાસિક જ્ઞાન અને વિવેક સાથે, તૈયાર થશે તે ઘણું દ્રાવિડ, વૈષ્ણવ, શિવ, તાંત્રિક આદિ પંથને અમુક વિષયમાં પોતાના સમાનતંત્રી બનાવી વિરોધમાં ફાવી શકશે. આમ કરવાને બદલે જેને જુદા પડે તે જૈનમાં પાછા ફિરકાઓ જુદા પડે. ફિરકાઓમાં સાધુઓ, ગચ્છો અને ગૃહસ્થ જુદા પડે. પરિણામે શુન્યવાદ તેમની પાસે રહે—જે કે આજ સુધી રહ્યો છે. તેથી હિંદુ સંસ્કૃતિને નામે ચાલતા ધતિંગને અટકાવવાની દૃષ્ટિએ પણ હિંદુના એક ભાગ તરીકે અને બીજા સમાન ભાગના સાથીદાર કે મેવડી બનવાને નાતે પણ જૈને પિતાને હિંદુથી જુદા ગણે એમાં મને સાર દેખાતો નથી. અત્યારે આટલું જ.
લાંબુ તે છે જ. આ પત્રને ઉપયોગ યથેષ્ટ કરી શકે, પણ એમાં કાંઈ વિપર્યાસ ન થાય કે કોઈ ધર્મદેષ, જાતિસૂચક વાક્ય હોય તો તેનું પરિમાર્જન થાય એટલું ધ્યાનમાં રહે ૧. પંડિત શ્રી મહેન્દ્રકુમારજી ન્યાયાચાર્ય ઉપર લખેલ પત્ર; તા. ૧૮–૯–૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org