________________
જૈન ધર્મ–જૈન સમાજ : હિંદુ ધર્મ-હિંદુ સમાજ
[ ૧૭ ]
‘હિંદુ સમાજ અને હિંદુ ધર્મ ’ એનો અર્થ ‘વૈદિક સમાજ' અને વૈદિક ધર્મ ’ એવા જો હોય તો જૈન સમાજ અને જૈન ધર્મ તેમાં સમાવેશ પામી શકે નહિ, પણ વસ્તુતઃ તેનેા એવા અર્થ છે જ નહેિ. ટૂંકી દૃષ્ટિવાળા અને અણસમજી લેાકા ભલે વ્યવહારમાં કથારેક કયારેક એવા અર્થ માની લે અને તેથી જૈન લેાકા એ અર્થથી ભડકી પાતાને જુદા કહે, પણ તે કાંઈ વાસ્તવિક સ્થિતિ નથી. અણુસમજ કે ભ્રમથી જે ધારણા બંધાય છે કે પ્રચલિત થાય છે તેને આધારે વસ્તુસ્થિતિનું નિરૂપણ થઈ શકે નહિ. ત્યારે હિંદુ સમાજ અને હિંદુ ધર્મને ખરા, ઇતિહાસસિદ્ધ, પરપરાપ્રાપ્ત શે અ છે એ તપાસવું રહ્યું. હિંદુ સમાજના અર્થ એટલો જ છે કે હિંદુ ધર્માંતે અનુસરે તે હિંદુ સમાજ અને હિંદુ ધર્મ તે કે જેના સ્થાપક તેમ જ મૂળ પુરુષો આ દેશમાં હિંદમાં થયા હાય, જેનાં અસલી તીસ્થાના આ જ દેશમાં હાય અને જેનાં મૂળ શાસ્ત્રો તેમ જ પ્રમાણભૂત શાસ્ત્રો આ દેશની જૂની કે પછીની કાઈ પણ સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, દ્રાવિડ આદિ ભાષાઓમાં લખાયાં તેમ જ વિચારાયાં હોય, અને તે જ કારણે જે ધમ અને ઉત ભાષાએ પવિત્ર તેમ જ સર્વશ્રેષ્ઠ માનવાની ફરજ પડતી હોય. આ દૃષ્ટિએ જોતાં વૈદિક પર પરાના બધા જ ધર્મો, તેમ જ અવૈદિક પરંપરાના એટલે કે શ્રમણ આદિ પરંપરાના બધા જ ધર્મો, જેના પ્રવતા, તીથૅ અને શાસ્ત્રોનાં મૂળ આ દેશમાં જ છે તે બધા, હિંદુ ધર્મીમાં જ આવી જાય છે. એટલે ઔદ્ધ અને જૈન ધમ પણ હિંદુ ધર્મના એક પેટા ભેદ છે, જેવી રીતે વૈદિક ધમઁ. આ જ કારણથી જ્યારે શ્રી. આનંદશંકર ધ્રુવે હિંદુ ધર્મની ખળપાથી લખી ત્યારે વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ ધર્મો વિષે લખ્યુ અને પછી હિંદુ વેધમ એ નામનું સ્વતંત્ર પુસ્તક લખ્યું, જેમાં હિંદુ ધર્માંની એક વેદ શાખાને લઈ ધર્મ નિરૂપ્યા. તેમને વિચાર આ પછી હિંદુ ઔધ અને, હિંદુ જૈનધર્મ એવા એ સ્વતંત્ર પુસ્તક લખવાના હતા, જે અમલમાં આવી શકયો નથી. ધ્રુવજીની એ દૃષ્ટિ બહુ વિચારપૂત છે. એને જેટલા ઇતિહાસના આધાર છે તેટલા જ ધર્મની આંતરિક ને બાહ્ય બધી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org