________________
૧૧૨].
ચિંતન અને દર્શન આપવાની તે નહિ જ, કેમ કે આવી સંસ્થાઓ પહેલેથી જ ભોળ, અજ્ઞાની અને વાણિયાવૃત્તિવાળા લેકેની મદદ લઈ છેવટે બ્રાહ્મણે દ્વારા જ અને બ્રાહ્મણના હિતમાં જ સંચાલિત થાય છે. એકવાર બ્રાહ્મણ સિવાયના બીજા વર્ગને હિંદુપણાનું ભૂત વળગ્યું, એનું અભિમાન પિષાયું એટલે એનો લાભ ભૂત વળગાડનાર વિદ્યાછવી વર્ગ જ લે છે. તેથી જેનોએ કહેવું જોઈએ કે અમે હિંદુ ધર્મ ને હિંદુ સમાજનું એક અંગ હોવા છતાં આવી સંસ્થાઓની જાતિવાદી નીતિમાં નથી માનતા, ઊલટું એની સામે છીએ. હિંદુ મહાસભા જેવી સંસ્થાએમાં પહેલેથી જ મોવડી બ્રાહ્મણે અને તે પણ જાતિવાદી બ્રાહ્મણો રહ્યા છે. આપણે હિંદુ યુનિવર્સિટીનેજોઈએ. એમાં ખરી રીતે હિંદુને નામે મળતા લાભોથી મુખ્યપણે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણુધર્મ પોષાય તેમ જ સંસ્કારાય છે. જે એની પાછળ બ્રાહ્મણવૃત્તિ ન હોત તો ડૉ. ભગવાનદાસ, નરેંદ્રદેવજી, સંપૂર્ણાનંદજી જેવા.
ક્યારેક તે વાઇસચેન્સર થયા જ હેત; અને એમણે બીજા કોઈ પણ કરતાં કદાચ વધારે સારું કામ કર્યું હોત. એટલે હું જૈનધર્મ માટે એટલું જ કહું છું કે તે પિતાને હિંદુ ધર્મના એક અંગ લેખે હિંદુ ધર્મ કે આર્યધર્મ કહે તે પણ છેવટે તેને વિવેક રાખવો જ જોઈએ કે ક્યાં તેણે પિતાનું વ્યક્તિત્વ. સાચવવું અને દીપાવવું.
- અત્યારે બધા જ રૂઢ જેનો ધાર્મિક બાબતે પરત્વે જે જે હિમાયત, આગ્રહપૂર્વક કરે છે તે મોટેભાગે બ્રાહ્મણધર્મ કે વૈદિક ધર્મની જ હિમાયત છે અને તમે સુધારકે જે જે સુધારાની વાત કરે છે તે બધી તેમને જૈન ધર્મ વિરુદ્ધ લાગે છે. એમ ન હેત તે હરિજન–મંદિર–પ્રવેશની સામે અન્નત્યાગની કાગાળ ન થાત, અર્થાત્ હરિજનો જૈન મંદિરમાં પ્રવેશે તેની વિરુદ્ધ કઈ અન્નત્યાગ કરે ત્યારે એને રૂઢ પક્ષ સત્કારે અને સુધારકો વગેરે, એવી સ્થિતિ ન આવત.
એક વિચારવા જેવી નવી બાબત પણ કહું. હિંદુ સંસ્કૃતિના પ્રચારકે હિંદુ ધર્મ અને હિંદુ સમાજને આશ્રય લઈ કેટલીક એવી બાબતોને પ્રચાર હંમેશાં કરતા આવ્યા છે કે જે બાબતે હિંદુ સંસ્કૃતિના મોટાભાગને માન્ય નથી. ઈતિહાસ અને તેના સિદ્ધાંત પણ તેવી બાબતોથી વિરુદ્ધ છે. બ્રાહ્મણને જે બાબતે પર મુખ્ય ભાર છે તે વેદની મુખ્યતા, સંસ્કૃતનું શ્રેષ્ઠવ, પિતાનું ગુરુપદ અને જાતિમૂલક વર્ણવ્યવસ્થા. આ બાબતનો વિરોધ બુદ્ધ-મહાવીર પહેલાંથી હજારો વર્ષ થયાં થતો આવ્યો છે. એ વિરોધમાં માત્ર જેને જ ન હતા; દ્રવિડે, વૈષ્ણવો, શાક્તો, શ, અવધૂત વેદાન્તીઓ અને બીજા અનેક જૂથો બ્રાહ્મણીય સ્માર્ત માન્યતાનો વિરોધ કરતા જ રહ્યા છે. વિરોધ કરનાર આટલા બધા પંથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org