SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ [ ૧૫ ] , દૃષ્ટિ એટલે દન. દર્શનને સામાન્ય અર્થ ‘દેખવું’ એવા છે. આંખથી જે જે મેધ થાય તેને દેખવુ” કે દર્શન’ એમ કહેવાય છે. પરંતુ આ સ્થળે દૃષ્ટિ કે દનને અર્થ નેત્રજન્યાય ' એટલે જ માત્ર નથી; અહીં તેના અઘણા વિશાળ છે. કાઈ પણ ઇન્દ્રિયથી થતુ જ્ઞાન કે મનથી થતુ જ્ઞાન એ અર્ધું અહીં દૃષ્ટિ કે દનરૂપે અભિપ્રેત છે. એટલુ જ નહિ, પણ મનની મદદ વિના જે આત્માને જ્ઞાન શકય હોય તે તેવું જ્ઞાન પણ અહીં દષ્ટિ કે દનરૂપે અભિપ્રેત છે. સારાંશ એ છે સમ્યગ્દષ્ટિ એટલે કાઈ પણ જાતને સમ્યક્ ધ અને મિથ્યાદષ્ટિ એટલે દરેક જાતના મિથ્યા ખેાધ. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ જેવા શબ્દો અધી ધમ પર પરામાં પ્રચલિત છે. તેથી આપણે સૌ તેનાથી પરિચિત તેા છીએ જ; તેમ છતાં તેના અર્થોની સમજણમાં અનેક જાતના ભ્રમા પ્રવર્તે છે. જ્યારે આપણે જાગીને ભજન ગાઈએ છીએ કે : < ઉ, જાગ મુસાફિર, ભાર લઈ, અબ રૈન કહાં જો સાવત હૈ ? .. ત્યારે આપણે એ ભ્રમે નહિ. ગીતામાં કહ્યું કેઃ – નિવારવાની જ વાત કહીએ છીએ, નિદ્રાત્યાગની Jain Education International या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । ત્યારે પણ એ જ કહેવામાં આવ્યું છે કે સયમી અગર સાચી સમજ ધરાવનારા ૪ જાગે છે અને એ જ ભ્રમનિશાથી મુક્ત છે. દેહ ધારણ કરવા, શ્વાસેાાસ લેવા, જ્ઞાનેન્દ્રિયાથી જાવું, કમેન્દ્રિયોથી કામ કરવું, એટલું જ માત્ર જીવન નથી, પણ મનની અને ચેતનની જુદી જુદી ભૂમિકાઓમાં જે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અનેક પ્રકારનાં સંવેદના અનુભવવાં તે પણુ જીવન છે. આવા વ્યાપક જીવનનાં પાસાં પણ અનેક છે. એ બધાં પાસાંને દોરવણી આપનાર અને જીવનને ચલાવનાર ‘દૃષ્ટિ’ છે. જે દૃષ્ટિ સાચી તો તેનાથી દોરવાતું જીવન ખાટ વિનાનું; અને જો દૃષ્ટિ ખાટી કે ભૂલભરેલી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy