________________
કt ]
દર્શન અને ચિંતન વાને છે, સ્ત્રીઓને રક્ષણાર્થે પુરુષની જરૂર રહે છે તે સ્થિતિ દૂર કરવાને છે, પણ એ સાથે એ આવડતના ઉપયોગમાં વિવેકની જરૂર છે. સ્ત્રીનું સ્ત્રીત્વ ન હણાય એ જ રીતે એને ઉપયોગ થવો જોઈએ. શારીરિક દૃષ્ટિએ, સંતાનોત્પત્તિની દૃષ્ટિએ, તેમ જ વ્યવહારમાં સ્ત્રીઓની જે કોમળતા છે એ. જોતાં લશ્કરી તાલીમને એની મર્યાદામાં સ્વીકાર થાય એમાં હું કશું ખોટું જેતો નથી. લશ્કરી તાલીમથી એક પ્રકારની હિંસકવૃત્તિ, કઠોરતા, ક્રૂરતા, વાતવાતમાં ઉગ્રતા કે શસ્ત્ર ચલાવવા જેવી પરિસ્થિતિ ન ઊભી થવી જોઈએ,
એટલે કે લશ્કરી તાલીમની સાથે સાથે માનસિક વિકાસ થવો જોઈએ. એ વિકાસ, સુસંસ્કાર અને વિવેક નહિ હોય તે આ તાલીમથી નુકસાન થશે.
પ્ર. ૪–લચ્છા ન હોય, પણ વડીલોના આગ્રહને કારણે સામાજિક સુરક્ષિતતા કલ્પીને કે એવાં કોઈ બીજાં કારણોસર લગ્ન કરવાનું વ્યાજબી ગણાય ?
ઉ–ના, લગ્ન એ માત્ર વ્યવહાર નથી, અંદરની વસ્તુ છે. એ માટે એક યા બીજા કારણે ઈચ્છા ન હોય તો લગ્નજીવન કદી સફળ ન થાય. પણ એમાં પિતાની વૃત્તિની તપાસ કરવાનું અત્યંત જરૂરી છે. ઘણીવાર એમ બને છે કે લોકે માને છે કે વડીલેના દબાણને વશ થઈને, કેવળ તેમને સંતોષ આપવા માટે જ પિતે લગ્ન કરે છે, પણ એ ભ્રામક વસ્તુ હોય છે. તેમના પિતાના જ અંતરમાં ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ રૂપમાં એ વૃત્તિ પડી હોય છે, તે જ માણસ લગ્ન કરવા કબૂલ થાય છે. ઈચ્છા ન હોય તેની પાસે વડીલેના આગ્રહ, દબાણ, વિનવણી કે સમાજની નિંદા-ટીકાને સહેવા માટે મોબળ હોવું જોઈએ. કેવળ બહારના કારણથી લગ્ન કરવાનું હું વ્યાજબી ગણતો નથી.
પ્ર, પ-જ્ઞાતિ, વર્ણ, સમાજ વગેરેનાં સંગઠને ઈષ્ટ નથી એમ કેટલાક સુધારકને મત છે અને તેથી પર થવું જોઈએ એમ કહે છે. એ દૃષ્ટિએ રાષ્ટ્રીય સંગઠન ઉચિત ગણાય ? વિશ્વબંધુતા અથવા માનવતાના આદર્શ સાથે આવાં નાનાં સંગઠનને મેળ બેસાડી શકાય ખરો ?
ઉ–બેસાડી શકાય. એક સંગઠનને જ્યાં સુધી બીજા સાથે વિરોધ ન હોય ત્યાં સુધી વાંધો નથી. વાડ બાંધવો એ કાર્ય કરવા માટેની એક સગવડ છે. વાડ નાનો હેય પણ ચિત્ત નાનું ન હોય તે શી હરકત છે ? રાષ્ટ્રીય સંગઠન કરતાં જે બીજા રાષ્ટ્રો પ્રત્યે આક્રમણ, અથડામણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org