SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૫ પાંચ પ્રશ્નો શક્તિને, તેજને વધારનાર હોય છે. પરસ્પરના સહયોગથી શક્તિ વધે છે. સંઘર્ષ થાય ત્યારે એવી ખેંચ ન પકડવી કે તાર તૂટી જાય, પરંતુ એ વાત સાચી કે પત્નીએ પોતાનું સ્વમાન જાળવવું જોઈએ–તેનો વધ ન થવા દેવો જોઈએ. પિતાની વિશિષ્ટતાઓના ન વિલેપનમાં પત્નીનું કલ્યાણ છે, ન પતિનું, ન સમાજનું. પુરુષને સ્ત્રી પ્રત્યે જે પ્રેમ ન હોય, એનો વ્યવહાર દુરાચારી અને સ્ત્રી પ્રત્યે આદરવિહેણે હેય ત્યારે પણ પત્ની એની પાછળ પાછળ જ જાય અને એને સુધારી તે ન શકે પણ સાથે પિતાનું જીવન પણ નકામું બનાવી દે, એમાં હું કોઈનું શ્રેય જેતે નથી. ઘણી વાર એમાં નિર્બળતાનું તત્ત્વ મુખ્ય હેય છે. એવા પ્રસંગમાં તે સ્ત્રીએ પિતાની તાકાત વધારવી જોઈએ; કેટલીક વાર તે આર્થિક પરાધીનતાને કારણે સ્ત્રી પુરુષને છોડી શકતી નથી, પણ એ તે અનાથાશ્રમમાં રહેવા જેવું થયું. બીજી રીતે જોઈએ તે સામાન્ય મધ્યમ વર્ગમાં પુરુષ કમાય છે ને સ્ત્રી ગૃહકાર્ય કરે છે, બાળકને ઉછેરે છે ને પતિને આનંદ આપે છે. આ બધાનું આર્થિક વળતર આપવાનું હોય તો પુરુષની કમાણી કદાચ ઓછી પડે; એટલે સ્ત્રી પણ કામ કરે છે, મહત્ત્વનું કામ કરે છે એ વસ્તુનો સ્વીકાર થવો જોઈએ. બહેનએ પણ વધુ સમાજ અને સ્વાવલંબનશક્તિ મેળવવાં જોઈએ, જેથી તે પિતાનું મહત્ત્વ સ્થાપિત કરી શકે. અને કઈ પ્રસંગે, બધા જ પ્રયાસ પછી પણ વિસંવાદિતા જ રહે તે, આત્મગૌરવયુક્ત જીવન ગાળી શકે. બન્ને જ્યાં પરસ્પર આદર જાળવતાં હોય ત્યાં વિલોપનના પ્રસંગે ઓછા ઊભા થાય છે, બાકી સમગ્રપણે પિતાના વ્યક્તિત્વનો ત્યાગ એ શક્ય નથી, શ્રેયસ્કર પણ નથી. એટલું જ નહિ, બહેનની તાકાત ને શક્તિ વધે તે પુરુષના પણ લાભમાં જ છે. પ્ર. ૩–સ્ત્રીઓ લશ્કરી તાલીમ લે એ વિચાર આપને ગમે છે? ઉ–હા, એમાં મને કશું ખરાબ નથી લાગતું. એક વાત યાદ આવે છે. એક વેળા એક આચાર્ય એમના ગુરુકુળની વિદ્યાર્થીનીઓને લઈને શાંતિનિકેતન ગયા હતા. કન્યાઓએ ત્યાં જાતજાતના જે પ્રયોગ બતાવ્યા તેથી સૌને માન થયું. ગુરુદેવ રવીન્દ્રનાથે કહ્યું: “પંડિતજી, વાત તે સારી છે. કન્યાઓના આ કાર્યમાં મર્દાનગી છે, પણ એમનું સ્ત્રીત્વ છેવાઈ ગયું લાગે છે.” કહેવાનું તાત્પર્ય એ છે કે લશ્કરી તાલીમને ઉદ્દેશ નિર્ભયતા કેળવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy