________________
દર્શન અને ચિંતન બમાં મોટે ભાગે કલેશ કંકાસ થાય છે, દ્વિધા સ્થિતિ થાય છે, એના સંઘર્ષમાં
વ્યક્તિનું માન અને તેના ગુણે નાશ પામતાં દેખાય છે. એ પરિસ્થિતિમાં વિભક્ત કુટુંબ ઈષ્ટ છે, એટલા માટે કે જૂની ને નવી પેઢી વચ્ચે સંધાન રહી શકતું નથી.
સારી રીત એ છે કે કમાતા થયા પછી પરણવું; જુદા થવાની તૈયારી કરીને પરણવું. અપવાદરૂપે કોઈ કુટુંબમાં સુંદર મેળ હોય છે, પણ એમ ન હોય તે જુદાં થયું છતાં પ્રેમ ને સદ્ભાવ ન છોડવા એ દૃષ્ટિ છે. કુટુંબસંસ્થા એટલે કે સ્ત્રી-પુરુષના મિલનથી રચાતી સંસ્થા કદી નિર્મૂળ થાય કે ભાંગી પડે એવું મને લાગતું નથી. કુટુંબસંસ્થાનો આધાર ન રૂપ પર છે, ન સંપત્તિ પર, ન કુળની ખાનદાની પર. એને આધાર છે આદર, સહિષ્ણુતા અને વફાદારી પર. વફાદારી એ મુખ્ય ગુણ છે. ને એની પરીક્ષા સંકટના સમયમાં થાય છે. વફાદારીને સંપૂર્ણ નાશ કદી થતો નથી. સ્ત્રી-પુરુષના સખ્ય વિનાનું જીવન શક્ય જ નથી—ન ગૃહસ્થાશ્રમમાં, ન ત્યાગમાં. વ્યક્તિગત ને સામૂહિક જીવનમાં, સેવામય જીવનમાં ને ગૃહસ્થાશ્રમમાં બનેને સાથ આવશ્યક છે.
અલબત્ત, પ્રશ્નો નવનવા ઊભા થતા રહેવાના, સંસ્થા રૂપાંતર પામતી રહેવાની, પણ એનો અંત કદી આવી શકે નહિ. પુરુષ–સ્ત્રીને ચુસ્ત રીતે અલગ પાડવાથી બનેમાં વિકૃતિઓ આવશે. બન્નેના સંખ્યામાં જ તેમનું તથા સમાજનું હિત છે અને એ રીતે બધે વ્યવહાર ગૃહસ્થાશ્રમને કેન્દ્રિત કરીને જ ચાલ જોઈએ.
- પ્ર. ૨–લગ્ન પછી પત્નીએ પતિના વ્યક્તિત્વમાં પોતાના વ્યક્તિત્વનું વિલેપન કરવું જોઈએ એવી એક માન્યતા છે. એથી કુટુંબજીવનમાં ઘર્ષણનું પ્રમાણ ઘટતું હશે, પરંતુ પત્નીના આત્મવિકાસ માટે તેમ જ સમાજકલ્યાણ માટે એ ઈષ્ટ છે?
ઉ–વિલેપનને અર્થ વિવેક અને સામર્થ્યનું વિલેપન એમ હું નથી કરતો. બન્નેએ ટ્વેતસી વૃત્તિ રાખવી જોઈએ. નદીને પ્રવાહ આવતાં જેમ વેતસ–નેતર વળી જાય છે ને પ્રવાહ જતાં પાછું ટ્ટાર થઈ જાય છે એમ એકની ઉગ્રતા વખતે બીજાએ કરવું જોઈએ. પ્રવાહને પ્રતીકાર કરતાં વૃક્ષોને ઘણીવાર તૂટી જવું પડે છે, પણ નેતર ટકી રહે છે તે પ્રસંગે પાર અહમનું વિલોપન કરવાથી, એટલે વિલેપન કરવાનું હોય તે તે અહમનું કરવું જોઈએ. બાકી પત્નીના વ્યક્તિત્વને સંપૂર્ણ નાશ થાય એવું તે પતિ પણ ન ઈચ્છે; કારણ કે, પત્નીનું સામર્થ્ય તેની પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org