________________
૯૨ ]
દર્શન અને ચિંતન
કરી
યુવા આ દિશામાં કાંઈક જરૂર શકે. યેાગ્ય વાચનાલયે। અને પુસ્તકાલયાની સગવડ તો દરેક પ્રસિદ્ધ તીર્થાંમાં પ્રથમ હાવી જ જોઇ એ. પણ આપ્યુ જેવા સ્થાનમાં એ સગવડ વધારે ઉપયેગી સિદ્ધ થઈ શકે. પાલીતાણા જેવા તીમાં કેળવણીની સંસ્થાઓ છે. અને તે, નાનીમોટી પણ, એકથી વધારે છે, તેની પાછળ ખર્ચ પણ ઓછા થતા નથી. અલબત્ત, તેમાં કામ થાય જ છે, પણ એ સંસ્થાઓ એવી નથી કે જેના તરફ બીજી પ્રસિદ્ધ સંસ્થાઓની પેઠે વિદ્વાનોનું ધ્યાન ખેંચાય. તે વાસ્તે ભાવનગર જેવા નજીકના શહેરના વિશિષ્ટ શિક્ષિત યુવકોએ અમુક સહકાર તે સંસ્થાઓને આપવા વટે . કેટલીક ધાર્મિક પાઠશાળાઓ તે માત્ર નામની અને નિષ્પ્રાણ જેવી છે. એમાં પણ યુવકે વાસ્તે કર્તવ્યને અવકાશ છે.
જે માણસ જરા પણ ઊંચનીચના ભેદ સિવાય કહેવાતા અસ્પૃશ્યો અને દલિતો સાથે મનુષ્યતાપૂર્ણ વ્યવહાર કરતા હોય, જે ક્રરજિયાત વૈધવ્યની પ્રતિષ્ઠાના સ્થાનમાં મરજિયાત વૈધવ્યની પ્રતિષ્ઠાને સક્રિય સમક હાય અને વળી જે સાધુસંસ્થા આદિ અનેક ધાર્મિક સંસ્થાએમાં જવાબદારીવાળી સમયેાચિત સુધારણાના હિમાયતી હાય, તે માણસ આટલી ટૂંકી અને હળવી કર્તવ્યસૂચના કેમ કરતા હશે એ ાણી, જડ રૂઢિની જમીન ઉપર લાંબા કાળ લગી એકધારા ઊભા રહેવાથી કંટાળી વિચારક્રાન્તિના આકાશમાં ઊડવા ઇચ્છનાર યુવકવર્ગને નવાઈ થાય, એ સ્વાભાવિક છે. પણ આ વિષે મારા ખુલાસા એ છે કે આ માગ જાણી જોઈ ને મેં સ્વીકાર્યો છે. મારું એમ ચોક્કસ માનવુ છે કે એક હળવામાં હળવી પણ ઉપયોગી ક કસોટી યુવા સમક્ષ મૂકવી અને તપાસી જોવુ કે તેએ એ કસોટીમાં કેટલે અંશે પસાર થાય છે. આ કસોટી તદ્દન હળવી છે કે સહેજ પણ અધરી, એ સાબિત કરવાનું કામ યુવાનુ છે. માટે ભાગે જૈન જનતાને વારસામાં એકાંગી અમુક જ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, જે સમુચિત વિચારણા અને આવશ્યક પ્રવૃત્તિ વચ્ચે મેળ સાધવામાં ઘણીવાર વિઘ્નરૂપ નિવડે છે. તેથી તેની જગાએ કઈ દૃષ્ટિએ આપણુ યુવકાએ કામ લેવું એની જ મેં મુખ્યપણે ચર્ચા કરી છે. હું આશા રાખું ' કે આપણી સામે પડેલા સળગતા બધા પ્રશ્નો વિષે વિચાર કરવામાં જો આપણે એ અનેકાંગી દૃષ્ટિના ઉપયોગ કરીશું તો વગર વિધ્ને સીધે રસ્તે ચાલ્યા જઈશું.
જૈન યુવક સંમેલન, અમદાવાદ સ્વાગતપ્રમુખ તરીકેના ભાષણમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org