________________
યુવકાને
[૧
કાર્યાલયમાં એવી ગેાઠવણ કરવી કે જેને લીધે સ્થાનિક કે આસપાસનાં ગામડાંના વિદ્યાર્થી, જે ભણવાની સગવડ માગતા હોય તે, ત્યાં આવી પોતાની પરિસ્થિતિ કહી શકે. તે તે યુવકસત્રે આવા ઉમેદવારને પોતાની મર્યાદા પ્રમાણે કાંઈ ને કાંઈ ગોઠવણ કરી આપવા કે માર્ગ સૂચવવા જેટલી. વ્યવસ્થા રાખવી, જેથી ઘણીવાર માગ અને આલખન વિના ભટકતા કે ચિંતા કરતા આપણા ભાઈ ઓને ઓછામાં ઓછી આશ્વાસન પૂરતી તે રાહત મળે જ.
આ સિવાય એક કવ્ય ઉદ્યોગને લગતુ છે. ભણી રહેલા કે વચમાં જ ભણતર છેડી દીધેલા અનેક ભાઈએ નાકરી કે ધંધાની શોધમાં જ્યાં ત્યાં જાય છે. તેમાંના મેાટાભાગને શરૂઆતમાં દિશાસૂચન પૂરતા પણ ટેકા નથી મળતા. થાડા દિવસ રહેવા, ખાવા આદિની સસ્તી સગવડ આપી ન. શકાય તાપણુ જો તેવા ભાઈઓ વાસ્તે કાંઈ તેમની પરિસ્થિતિ જાણી યાગ્ય સૂચન કરવા પૂરતી વ્યવસ્થા તે તે સ્થાનના સધા કરે તો એ દ્વારા પણ યુવકમંડળાનું સંગઠન સાધી શકાય.
આ
હવે હું લાંબી કવ્યાવલીમાં ન ઊતરતાં છેલ્લા એક જ કર્તવ્યનું સૂચન કરુ` બ્રુ. તે છે વિશિષ્ટ તીર્થીને લગતું. આષુ, પાલીતાણા આદિ કેટલાંય એવાં આપણાં ભવ્ય તીર્થં છે કે જ્યાં યાત્રા અને આરામ અર્થે હજારો લોકો આપોઆપ જાય-આવે છે. દરેક તીથૅ આપણું પ્રથમ ધ્યાન સ્વચ્છતા તરફ ખેંચે છે. તીર્થી જેવાં ભવ્ય અને સુંદર, તેટલી જ તેમાં અસ્વચ્છતા અને મનુષ્યકૃત અસુંદરતા. એટલે તીસ્થાનના યુવકસધા અગર તેની પાસેના યુવકસ સ્વચ્છતાનું કામ માથે લે તે તે દ્વારા તેઓ આત્મવિશ્વાસ સાથે જનાનુરાગ ઉત્પન્ન કરી શકે. આયુ એ એક એવું સ્થાન છે કે જે ગૂજરાત અને રજપૂતાનાનુ` મધ્યવર્તી હાવા ઉપરાંત હવા ખાવાનું ખાસ સ્થાન છે. પ્રસિદ્ધ જૈન મંદિર જોવા આવનાર આણુની ટેકરીઓમાં રહેવા લલચાય છે, અને હવાપાણી આવેલા એ મદિરાને ભેટવા સિવાય કદી રહેતા જ નથી. જેવાં એ દિશ છે તેને જ યાગ્ય એ સુંદર પંત છે. છતાં તેની આજુબાજુ નથી સ્વચ્છતા કે નથી ઉપવન કે નથી જળાશય. સ્વભાવે નિવિષ્ણુ જૈન જનતાને એ ખામી ભલે ન લાગતી હાય, છતાં તે જ જ્યારે કેમ્પ અને બીજા જળાશયા તરફ જાય છે ત્યારે તુલનામાં તેમને પણ પોતાનાં મદિરાની આસપાસની એ ખામી દેખાઇ આવે છે. શિરાહી, પાલણપુર કે અમદાવાદના
વાસ્તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org