________________
૯૦ ]
દર્શન અને ચિંતન વિચાર અપ અગર પોતાની લાગવગ દ્વારા બીજી રીતની મદદ કરી પરિષદનું કામ સરલ બનાવે. પરિષદે પિતાના ગૃહસ્થ સભ્યોના બળ ઉપર જ ઊભું રહેવાનું છે. એક રીતે તેમાં સ્વતંત્રતાને પૂરે અવકાશ હાઈ વિકાસને
સ્થાન પણ છે; છતાં પરિષદના બધા જ સભ્ય લગભગ વ્યાપારી પ્રવૃત્તિના હઈ પરિષદનાં કાર્યોનું વ્યવસ્થિત અને સતત સંચાલન કરવા જોઈત સમય. આપી શકે તેમ અત્યારે દેખાતું નથી. તેથી હું બહુ જ પરિમિત કર્તવ્યનું સૂચન કરું છું, અને તે એ દૃષ્ટિથી કે જ્યાં જ્યાંને યુવકસંધ તેમાંથી કોઈપણ કરવા સમર્થ હોય, ત્યાં ત્યારે યુવસંધ પિતાના સ્થાન પૂરતાં તે કર્તવ્યો અમલમાં મૂકી શકે. - હિંદુસ્તાનના જુદા જુદા પ્રાન્તમાં અનેક શહેરે, કસબાઓ અને ગામડાંઓ. એવાં છે કે જ્યાં જૈન યુવકે છે છતાં તેમનો સંધ નથી. આપણે ધારીએ અને અપેક્ષા રાખીએ તેટલું તેમનું સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક વાચન નથી. એક રીતે તેઓ તદ્દન અંધારામાં છે. ઉત્સાહ અને લાગણી. છતાં શું વિચારવું, શું બોલવું, ક્યાં મળવું, કેમ મળવું, એની તેમને જાણ જ નથી. જે શહેરે અને કસબાઓમાં પુસ્તક વગેરેની સગવડ છે, ત્યાંના પણ અનેક ઉત્સાહી જૈન યુવકને મેં એવા જોયા છે કે જેઓનું વાચન નામમાત્રનું પણ નથી હતું, તે તેમના વિચારસામર્થ્ય માટે વધારે આશા ક્યાંથી. રહે ? એવી સ્થિતિમાં આપણી પરિષદે એક—બે-ત્રણ સભ્યોની સમિતિ નીમી તે દ્વારા એવી એક આવશ્યક વાચ્ય પુસ્તકોની યાદી તૈયાર કરી જાહેર કરવી ઘટે કે જે દ્વારા સરલતાથી દરેક જૈન યુવક ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તેમ જ બીજા આવશ્યક પ્રશ્નો સંબધે સ્પષ્ટ માહિતી મેળવી શકે અને તે દિશામાં આપમેળે વિચાર કરતો થઈ જાય. આવી યાદી અનેક યુવકસંઘના. સંગઠનની પ્રથમ ભૂમિકા બનશે. કેન્દ્રસ્થાન સાથે અનેક જુદાંજુદાં સ્થાનોના યુવકોને પત્રવ્યવહાર બંધાતાં અનેક નવા યુવક પણ ઊભા થશે. માત્ર પાંચ કે દશ શહેરના અને તેમાં પણ અમુક જ ગણ્યાગાંડ્યા વિચારશીલ યુવકે હેવાથી કાંઈ સાર્વત્રિક યુવકસંઘની વિચારપ્રવૃતિ પણ ન ચાલી શકે. મુખપત્ર દ્વારા પ્રગટ થતા વિચારે ઝીલવા જેટલી સામાન્ય ભૂમિકા સર્વત્ર એ રીતે જ નિર્મિત થઈ શકે.
આગળ જે કહ્યું તે ફક્ત યુવકના સ્વશિક્ષણની દૃષ્ટિએ. પણ અમુક કેળવણીપ્રધાન શહેરોના સંઘેએ બીજી એક શિક્ષણ સંબંધી પ્રવૃત્તિ હાથ ધરવી ઘટે છે; અને તે એ કે તે તે શહેરના સંઘોએ પિતાપિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org